રખેવાળ
બ્રેકિંગ
સાબરકાંઠા15 જૂન, 2025| Super Admin

સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

અમદાવાદ હવાઈ મથકેથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરના મોત થયા છે. આ દુખદ ઘટનાને પગલે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મહેતાપુરા ચાર રસ્તા પર સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે ગઈકાલે સાંજે સ્થાનિક રહેવાસીઓ અને અગ્રણીઓ એકત્રિત થયા હતા. તેમણે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મુસાફરોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

સંબંધિત સમાચાર