રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા6 મે, 2025| Super Admin

ડીસામાં ગાદલાની દુકાનમાં આગ લાગતા દોડધામ

ડીસામાં ગાદલાની દુકાનમાં આગ લાગતા દોડધામ
ડીસાના મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ રોડ ઉપર આવેલા નિશા કોટન વર્ક્સ નામની દુકાનના ભોંયરામાં આજે બપોરે અગમ્ય કારણોસર આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગની ઘટનાને પગલે દુકાન માલિકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ફાયર ફાઇટર અને પોલીસને જાણ કરી હતી. ફાયર ફાઇટરની બે ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં દુકાનમાં રાખેલા મોટાભાગના ગાદલાઓ બળીને ખાખ થઈ ગયા હતા. દુકાન માલિકે આ આગની ઘટનામાં દુકાન ઘણું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે આ દુકાન જ્યાં આવેલી છે તે બિલ્ડીંગ પણ જુનું અને જર્જરિત છે તેમજ ઉપરના માળે વૃદ્ધાશ્રમ પણ આવેલ છે. જોકે સમય સૂચકતાના પગલે આગ કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી જવા પામી છે. જોકે સ્થાનિકોમાં ચાલતી ચર્ચા ઉપરથી જાણવા મળેલ કે અગાઉ પણ આ દુકાનમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગવા પાછળ ક્યાં કારણો જવાબદાર છે ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર