રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા3 ઑગસ્ટ, 2025| Super Admin

ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે નિર્ણય; દારૂ પીતો કે વેચેતો પકડાય તેને ₹51,000નો દંડ

ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે નિર્ણય; દારૂ પીતો કે વેચેતો પકડાય તેને ₹51,000નો દંડ

થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે ગ્રામજનોએ સરાહનીય પગલાં ભર્યા છે. સમગ્ર ગામના લોકો ભેગા મળી એક મહત્વની બેઠક યોજી હતી જેમાં દારૂ અને અન્ય કેફી પદાર્થોના વેચાણ અને સેવન સામે સખત નિર્ણય લેવાયો છે. ગામમાં કોઈ વ્યક્તિ દારૂ કે અન્ય કેફી પીણું વેચતો કે પીતો પકડાશે તો તેની સામે સીધી રીતે ₹51,000 નો દંડ ફટકારવામાં આવશે અને ત્યારબાદ તેને પોલીસના હવાલે પણ કરવામાં આવશે. સાથે જ એવો પણ નિર્ણય લેવાયો કે જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ગામમાં પ્રવેશ કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે અને તાત્કાલિક પોલીસને જાણ કરાશે. વધુમાં, જો કોઈ દારૂ પીને પકડાયેલ વ્યક્તિને ગામનો વ્યક્તિ છોડાવવા આવશે તો એ વ્યક્તિ પાસેથી પણ ₹11,000 નો દંડ વસૂલ કરાશે. આ નિર્ણયોની અમલવારી માટે ખાસ કમિટી ની રચના કરવામાં આવી છે. આ કમિટી દંડ વસૂલી તેમજ દારૂ વેચતા કે પીતા લોકોને ઓળખી કાર્યવાહી કરશે. સમગ્ર ગામના લોકો માટે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તેની ઘરમાં કોઈ સામાજિક પ્રસંગમાં ન જવાનું સમૂહે બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો છે. ભલાસરા ગામે લેવાયેલા આ કડક અને એકતાભર્યા નિર્ણયોને ગ્રામજનોના વ્યસનમુક્તિના દ્રઢ સંકલ્પનો ભાગ ગણાવવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર