એક નગરપાલિકાના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, એક ચૂંટાયેલા સભ્યની ભલામણને કારણે આ પ્રશ્નનું નિરાકરણ ટાળવામાં આવી રહ્યું છે. આનાથી એવું લાગી રહ્યું છે કે રાજકારણના કારણે સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.વિનાયક સોસાયટી ઉપરાંત, તેની આસપાસની અન્ય ચાર સોસાયટીના રહીશો પણ આ જ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરે, જેથી રોગચાળો ફેલાતો અટકી શકે. જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ડીસાની વિનાયક સોસાયટીના રહીશો ગંદકી અને વરસાદી પાણી ભરાવાથી લોકો ત્રાહિમામ

બીમારીઓનો ઉપદ્રવ : રહીશોની આંદોલનની ચીમકી
ડીસાના અંબિકા ચોક વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના દૂષિત પાણી અને ઉપરવાસની સોસાયટીઓમાંથી આવતા વરસાદી પાણીના ભરાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને લીધે સોસાયટીમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના કેસ પણ જોવા મળ્યા છે.સ્થાનિક રહીશોએ આ અંગે ડીસા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં, કોઈ નક્કર પગલાં લેવાયા નથી. નગરપાલિકાના સેનિટેશન અને બાંધકામ વિભાગો આ સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. રહીશોનો આરોપ છે કે નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો આ સમસ્યા પ્રત્યે ઉદાસીન છે અને માત્ર વાતો કરવામાં જ વ્યસ્ત છે.
એક નગરપાલિકાના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, એક ચૂંટાયેલા સભ્યની ભલામણને કારણે આ પ્રશ્નનું નિરાકરણ ટાળવામાં આવી રહ્યું છે. આનાથી એવું લાગી રહ્યું છે કે રાજકારણના કારણે સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.વિનાયક સોસાયટી ઉપરાંત, તેની આસપાસની અન્ય ચાર સોસાયટીના રહીશો પણ આ જ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરે, જેથી રોગચાળો ફેલાતો અટકી શકે. જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
એક નગરપાલિકાના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, એક ચૂંટાયેલા સભ્યની ભલામણને કારણે આ પ્રશ્નનું નિરાકરણ ટાળવામાં આવી રહ્યું છે. આનાથી એવું લાગી રહ્યું છે કે રાજકારણના કારણે સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.વિનાયક સોસાયટી ઉપરાંત, તેની આસપાસની અન્ય ચાર સોસાયટીના રહીશો પણ આ જ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરે, જેથી રોગચાળો ફેલાતો અટકી શકે. જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાદાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ લીધો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી પોલીસે છ વર્ષથી નાસતો ફરતો ખૂનનો આરોપી ઝડપી પડ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાઉત્તર ગુજરાત વીજ કંપનીનો છબરડો ચિત્રાસણીમાં વીજ ધારકને રૂ.1.06 લાખનું તોતિંગ વીજ બિલ ફટકાર્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો
1 દિવસ પહેલા
