રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા9 ઑક્ટોબર, 2025| Super Admin

કાંકરેજનું રાનેર ગામ વિકાસનું મોડેલ બન્યું : પ્રાથમિક સવલતોથી સુસજ્જ

કાંકરેજનું રાનેર ગામ વિકાસનું મોડેલ બન્યું :  પ્રાથમિક સવલતોથી સુસજ્જ

કાંકરેજ તાલુકાનું રાનેર ગામ આજે વિકાસના માર્ગે એક પ્રેરણાદાયક ઉદાહરણ તરીકે ઉભર્યું છે. ગામના સરપંચ ચતુરસિંહ જાદવના સક્ષમ નેતૃત્વ હેઠળ ગામના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ પ્રજાલક્ષી દૃષ્ટિકોણ દ્વારા રોડ રસ્તા, સરકારી આવાસ, આરોગ્ય ક્ષેત્રે કામગીરી થતા રાનેર ગામની ઓળખ હવે તાલુકામાં  “વિકસિત ગામ” તરીકે થવા લાગી છે.ગામના મુખ્ય વિકાસ કાર્યોમાં પેવર બ્લોક અને રોડ-રસ્તા કામો,ગામના મુખ્ય માર્ગો અને શેરીઓમાં પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે, જેના કારણે કાદવ- કીચડમુક્ત સ્વચ્છ રસ્તાઓ મળ્યા છે. જૂના રસ્તાઓનું સમારકામ અને નવા માર્ગોનું નિર્માણ થવાથી આવનજાવન સરળ બની છે. ગટર લાઇન અને સંરક્ષણ દીવાલો તેમજ  સ્વચ્છતા અને સલામતી માટે ગટર નેટવર્ક તથા જરૂરી સ્થળોએ ગાર્ડવોલ બાંધકામથી ગામમાં પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થયો છે.સરકારની મફત તેમજ ગરીબ આવાસ યોજનાઓ હેઠળ અનેક પરિવારોને પાકા મકાન મળ્યા છે, ત્યારે  સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે સરપંચ ચતુરસિંહ જાદવના નેતૃત્વમાં ગામમાં છેલ્લા સમયમાં  “રોડ, પાણી અને ગટરની જૂની સમસ્યાઓ ગામ લોકોમાં સંતોષકારક લાગણી જોઈ શકાય છે સરપંચએ ખરા અર્થમાં ગામ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે,” એવી ગામજનોની લાગણી છે.    

સંબંધિત સમાચાર