રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય19 મે, 2026| Super Admin

રાહુલ ગાંધીએ યુવાનો અને ખેડૂતોને ચેતવણી આપી, 'આર્થિક તોફાન માટે તૈયાર રહો, મુશ્કેલ સમય આવી રહ્યો છે'

રાહુલ ગાંધીએ યુવાનો અને ખેડૂતોને ચેતવણી આપી, 'આર્થિક તોફાન માટે તૈયાર રહો, મુશ્કેલ સમય આવી રહ્યો છે'

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આર્થિક મુદ્દાઓ પર નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જે આર્થિક તોફાન (મંદી) આવવાનું છે તે ખેડૂતો, યુવાનો અને નાના વ્યવસાયોને અસર કરશે. તેમણે કહ્યું કે "ખૂબ જ મુશ્કેલ સમય આવી રહ્યો છે." આર્થિક આંચકો એવી રીતે આવશે જે ઘણા વર્ષોમાં આવ્યો નથી. 

પશ્ચિમ એશિયાઈ કટોકટીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. આ સંઘર્ષ દરમિયાન, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવ્યું, જે એક વ્યૂહાત્મક સ્થાન છે જ્યાંથી વિશ્વના તેલનો મોટો હિસ્સો પસાર થાય છે. ઈરાને જાહેરાત કરી કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનો કબજો છોડશે નહીં. પરિણામે, સમગ્ર વિશ્વ હવે ઝડપથી તેલ, ખાતર અને ડીઝલની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે.

તેમણે કહ્યું, કે દુઃખદ વાત એ છે કે એક ભયંકર આર્થિક તોફાન આવી રહ્યું છે, જેને કોઈ રોકી શકતું નથી, એવું તોફાન આપણે આપણા જીવનમાં ક્યારેય જોયું નથી. લોકોને પ્રશ્ન કરતા તેમણે પૂછ્યું કે આ નુકસાન કોને થશે? અને તેમણે જવાબ આપ્યો, અંબાણી કે અદાણી બંનેને નહીં થાય. આ નુકસાન ભારતના ખેડૂતો, મજૂરો, યુવાનો, નાના વેપારીઓ અને રોજગારીનું સર્જન કરતા નાના ઉદ્યોગોનું થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે પગલાં લેવાને બદલે, તેઓ દેશને વિદેશ પ્રવાસો પર ન જવાનું કહી રહ્યા છે જ્યારે તેઓ પોતે દુનિયાભરમાં ફરતા હોય છે. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશને સોનું ન ખરીદવા, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ન કરવા અને વિદેશ પ્રવાસ ટાળવા વિનંતી કરે છે, પરંતુ તે પછી તરત જ તેઓ વિદેશ પ્રવાસો માટે નીકળી જાય છે. પોતાના મતવિસ્તાર રાયબરેલીમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, "જનતાએ જાગવું પડશે અને જાગૃત થવું પડશે. જ્યાં સુધી તમે આ સરકાર નહીં બદલો, ત્યાં સુધી આ દેશ ટકી શકશે નહીં.

સંબંધિત સમાચાર