આમ આદમી પાર્ટીમાં આ સમયે મોટો ભૂકંપ જોવા મળી રહ્યો છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આમ આદમી પાર્ટી સામે બળવો જાહેર કર્યો અને પાર્ટી છોડવાની જાહેરાત કરી. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા અન્ય ચાર સાંસદોના નામ પણ જાહેર કર્યા. આ રીતે, આમ આદમી પાર્ટીના સાત સાંસદો એકસાથે પાર્ટી છોડી ચૂક્યા છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી છોડનારા તમામ સાંસદો પાર્ટીના મોટા નામ હતા. રમિયાન, રાઘવ ચઢ્ઢાની પ્રેસ કોન્ફરન્સ પછી, AAP સાંસદ સંજય સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ભાજપનું ઓપરેશન લોટસ અને ભગવંત માનના કામને રોકવાનો રાજકીય ખેલ મોટા પાયે શરૂ થઈ ગયો છે. પંજાબ સરકાર ત્યાંના બાળકોને સારું શિક્ષણ આપવાનું કામ કરે છે. જો પંજાબમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ રોગથી પીડિત હોય તો, 10 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે. ભાજપે આવી સરકારને રોકવા અને તોડવાનું કામ કર્યું છે."
સંજય સિંહે કહ્યું, "હું વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કહેવા માંગુ છું કે ભગવંત માનના કામને રોકવા માટે તમે જે કર્યું છે તેના માટે પંજાબના લોકો તમને ક્યારેય માફ નહીં કરે. આજે પંજાબ જેવી સારી સરકાર સાથે ઓપરેશન લોટસ રમાઈ રહ્યું છે. વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ઓપરેશન લોટસની સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે."
રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ BJP માં જોડાયા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત
2 કલાક પહેલા
રાષ્ટ્રીયફ્રાન્સમાં ભારત ઇનોવેટ્સ ઇવેન્ટ: "ભારતની પ્રાથમિકતા માનવ-આધારિત ટેકનોલોજી છે"
4 કલાક પહેલા
રાષ્ટ્રીયદહેરાદૂનમાં એક હિન્દુ યુવાનની હત્યાના મામલે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ આરોપીના ઘરને આગ લગાવી
5 કલાક પહેલા
રાષ્ટ્રીયબળવાખોર ટીએમસી સાંસદો આજે દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરશે
5 કલાક પહેલા
