રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય24 એપ્રિલ, 2026| Super Admin

રાઘવ ચઢ્ઢાએ AAP છોડી, 7 સાંસદો સાથે BJP માં જોડાશે

રાઘવ ચઢ્ઢાએ AAP છોડી, 7 સાંસદો સાથે BJP માં જોડાશે

ભારતના રાજકારણના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી છે કે તેઓ રાજ્યસભાના બે-તૃતીયાંશ સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં સંદીપ પાઠકે અત્યંત ભાવુક થઈને જણાવ્યું કે તેમણે હંમેશા પક્ષ અને અરવિંદ કેજરીવાલને પ્રથમ સ્થાન આપ્યું છે, પરંતુ હવે પક્ષ તેના મૂળ લક્ષ્યોથી ભટકી ગયો છે. રાઘવ ચઢ્ઢાએ આક્ષેપ કર્યો કે જે પાર્ટીને તેમણે લોહી-પરસેવાથી સિંચી હતી, તે હવે માત્ર અંગત ફાયદા માટે કામ કરી રહી છે. રાજ્યસભામાં AAP ના 10 માંથી 7 સાંસદો હવે ભાજપમાં ભળી જશે, જેમાં હરભજન સિંહ જેવા મોટા નામો પણ સામેલ હોવાની ચર્ચા છે. આ પક્ષપલટાથી રાજ્યસભામાં AAP નું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે અને ભાજપની શક્તિમાં મોટો વધારો થયો છે.

રાઘવ ચઢ્ઢા.gif 456.39 KB

ચઢ્ઢાએ કહ્યું- છેલ્લા કેટલાક વર્ષોથી, મને એવું લાગી રહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં સાચો માણસ છું. અમે એવો નિર્ણય લીધો છે કે અમે બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને ભાજપમાં ભેળવી દઈશું.
તેમણે કહ્યું- જે AAPને મેં મારા લોહી-પરસેવાથી સિંચી અને મારી યુવાનીના 15 વર્ષ આપ્યા, તે હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દેશના હિતમાં નહીં, પરંતુ પોતાના અંગત ફાયદા માટે કામ કરે છે.

સંબંધિત સમાચાર