રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ12 માર્ચ, 2025| Super Admin

પાટણ શહેરમાં હોળી- ધૂળેટીના પવૅને લઈ ધાણી- ખજુર અને ચણાની ખરીદીમાં તેજી

પાટણ શહેરમાં હોળી- ધૂળેટીના પવૅને લઈ ધાણી- ખજુર અને ચણાની ખરીદીમાં તેજી
ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દરેક વસ્તુ મા કિલોએ રૂ. ૫૦નો વધારો જોવા મળ્યો; પાટણ શહેરમાં હોળી-ધુળેટી પર્વને લઈને બજારોમાં ધાણી, ચણા અને ખજૂરની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. કારીગરો વિશિષ્ટ પ્રકારની ધાણી બનાવવામાં વ્યસ્ત બન્યા છે. આ વર્ષે આર્જેન્ટીનાની અમેરિકન ધાણી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જારની ગોગળા વગરની ધાણી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો છે. સ્પેશિયલ સિંગ ૨૨૦ રૂપિયા અને સ્પેશિયલ ચણા ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. ખજૂરમાં વિવિધ વેરાયટી ૧૦૦ થી ૭૦૦ રૂપિયા સુધીના ભાવે ઉપલબ્ધ છે.ગત વર્ષની સરખામણીમાં તમામ વસ્તુઓમાં સરેરાશ ૫૦ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. જે ધાણી ગત વર્ષે ૧૦૦ રૂપિયે મળતી હતી તે આ વર્ષે ૧૫૦ રૂપિયે વેચાઈ રહી છે. આરોગ્યની દૃષ્ટિએ પણ આ ખાદ્ય પદાર્થો ખૂબ ફાયદાકારક છે. ધાણી અને ચણા કફ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ખજૂર લોહી અને વજન વધારવામાં સહાયક છે. ચક્કર, બળતરા કે ઉલટીના સમયે ધાણી અને ખજૂરનું પાણી રાહત આપે છે.આમ, હોળી-ધુળેટી પર્વ પર આ પરંપરાગત વાનગીઓ ધાર્મિક મહત્વની સાથે આરોગ્ય માટે પણ લાભદાયી સાબિત થઈ રહી છે.

સંબંધિત સમાચાર