ધરણીધર તાલુકાના રાછેણાના કસ્ટમ રોડ પર ખાડારાજ આમ જનતા પરેશાન

રાછેણા સરપંચે જવાબદાર તંત્રને પત્ર લખી ખાડા પુરવાની માંગ કરી
મેઘ તાંડવને આજે 2 મહિનાનો સમય થવા આવયો છતાં હજુ ધરણીધર તાલુકાના રાછેણા લોદ્રાણી કસ્ટમ રોડ પર પડેલા એક ફૂટના ખાડા બુરાયા નથી. જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે જેને લઈને રાછેણા સરપંચ કિરણસિંહ રાજપુતે જવાબદાર ના.કા.ઇજનેરને પત્ર લખી કસ્ટમ રોડ પરનું ખાડા રાજ દૂર કરવા માંગ કરાઈ છે. જોકે છેલ્લા 2 માસથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠામુખ્યમંત્રીનો સરહદ હૂંકાર : ઢીમામાં વિકાસ સંકલ્પ સભા અને થરાદમાં નારી શક્તિનું અભિવાદન
1 કલાક પહેલા
બનાસકાંઠાચૂંટણી ટાણે જ હાલાકી : પાલનપુરમાં રખડતા શ્વાનોનો આતંક, તંત્રની ઘોર ઉદાસીનતા
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ગટરના પાણીથી ત્રાહિમામ, વોર્ડ-૯ ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો મિજાજ
2 કલાક પહેલા
બનાસકાંઠારક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો
1 દિવસ પહેલા
