રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 ડિસેમ્બર, 2024| Super Admin

કલેકટર- જિલ્લા પંચાયત સહિતની કચેરીઓના સ્થળાંતર સામે વિરોધ : ખુદ ભાજપ અગ્રણીએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

કલેકટર- જિલ્લા પંચાયત સહિતની કચેરીઓના સ્થળાંતર સામે વિરોધ : ખુદ ભાજપ અગ્રણીએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

બનાસકાંઠા જિલ્લાની બોદી નેતાગીરીના પાપે જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેર નધણીયાતું બની ગયું હોવાની રાવ ઉઠી છે. જિલ્લા મથક પાલનપુરના જોરાવર પેલેસ ખાતે આવેલી કલેકટર કચેરી, જી.પં. ભવન સહિતની કચેરીઓ અન્યત્ર ખસેડવા સામે ખુદ ભાજપ અગ્રણીએ જ અવાજ ઉઠાવતા મુખ્યમંત્રીને લેખિત પત્ર લખી કચેરીઓના સ્થળાંતર સામે વિરોધ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરના જોરાવર પેલેસમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જી.પં. ભવન, ન્યાયાલય, પોસ્ટ, ટેલિફોન સહિત બહુમાળી બિલ્ડીંગ જિલ્લા સેવા સદનમાં લગભગ તમામ સરકારી કચેરીઓ આવેલી છે. જે જિલ્લા ભરમાંથી આવતા અરજદારો માટે એકજ સંકુલમાં આવેલી કચેરી ઓ સુગમ અને સરળ બની રહી છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા કલેકટર કચેરી સહિતની કચેરીઓ જગાણા ખાતે ખસેડવાની હિલચાલ હાથ ધરાઈ છે. ત્યારે 16 એકરમાં આવેલી સરકારી કચેરીઓ અન્યત્ર ખસેડવા સામે સત્તામાં રહેલી જિલ્લાની નેતાગીરી ગાંધારીની ભૂમિકા ભજવી રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારીણીના સદસ્ય મેરુજી ધૂંખ પુનઃ જિલ્લાવાસીઓ ની વ્હારે આવ્યા છે. 

અગાઉ કલેકટર કચેરી સદરપુર ખસેડવાની હિલચાલ બાદ હવે જગાણા ખસેડવાની પેરવી કેટલાક હિતશત્રુઓના સ્વાર્થમાં કરવામાં આવી રહી હોવાનો ઈશારો ખુદ ભાજપ અગ્રણી મેરુજી ધૂંખ કરી રહ્યા છે. ત્યારે ભાજપના વર્તમાન શાસકો બિલ્ડર લોબી કે જમીન માફિયા ઓના ઈશારે જિલ્લાનું હિત કોરાણે મૂકી ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ પણ પ્રજાનું સમર્થન મેળવી શાસકો અને તંત્રના કાન આમળે તે જરૂરી બન્યું છે. જગાણા ખસેડવાનો નિર્ણય સ્થગિત કરવાની માંગ: 1952 માં મોરારજી દેસાઈએ પાલનપુર નવાબ પાસેથી અંદાજીત 16 એકર જમીન ધરાવતુ જોરાવર પેલેસ સંકુલ શહેરની વચ્ચોવચ્ચ આવેલું હાર્દ સમું સંકુલ છે. અગાઉ કલેકટર આનંદ પટેલના સમયમાં જિલ્લાની સરકારી કચેરીઓ સદરપુર ખસેડવાની હિલચાલ થતા ચોમેરથી વિરોધ થતા મુખ્યમંત્રીએ સૂચના આપી બંધ રખાવેલ હતી. જોકે, હવે આ કચેરીઓને 7 કી.મી. દૂર જગાણા ખસેડવાની હિલચાલ તેજ થતા મેરુજી ધૂંખે ફરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આ સ્થળાંતર રોકવા વિનંતી કરી છે.

સંબંધિત સમાચાર