ડીસાના રાજકારણમાં એક અણધારી ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે, જેઓ ધારાસભ્ય પ્રવીણ માળીના નજીકના સાથી ગણાય છે, તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પોતાના "પરમ મિત્ર અને રાજકીય ગુરુ" ગણાવ્યા છે. આ ઘટનાએ બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ચર્ચા જગાવી છે. અમૃત દવે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓએ શશીકાંત પંડ્યાના નિવાસસ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી હતી અને ફોટો શેર કર્યો હતો. આ ઘટના એટલા માટે વધુ મહત્વની બની જાય છે. જ્યારે ઘણા સમયથી પ્રવીણ માળી અને શશીકાંત પંડ્યા વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ડીસા નગરપાલિકાની ગત ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને તત્કાલીન ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પ્રવીણ માળી જૂથ વચ્ચે તીવ્ર મતભેદો હતા. તે સમયે શશીકાંત પંડ્યાનું વર્ચસ્વ રહેતા તેમના જૂથના ઉમેદવારોને મોટાભાગની ટિકિટો મળી હતી, જેના કારણે પ્રવીણ માળી જૂથમાં નારાજગી જોવા મળી હતી. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શશીકાંત પંડ્યાની જગ્યાએ પ્રવીણ માળીને ટિકિટ આપી અને અમૃત દવેએ પણ પ્રવીણ માળીને જીતાડવામાં તનતોડ મહેનત કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે અમૃત દવે અને શશીકાંત પંડ્યાનું આ મિલન આગામી ડીસા નગરપાલિકાની ચૂંટણી પર કેવી અસર કરે છે તે જોવાનું રહ્યું. રાજકીય વિશ્લેષકો માને છે કે જો આ બંને નેતાઓ એક સાથે આવે તો ઉમેદવારોની પસંદગીમાં નવા સમીકરણો જોવા મળી શકે છે. આ ઘટનાએ ભાજપના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને આગામી સમયમાં ડીસાના રાજકારણમાં નવા વળાંકો જોવા મળી શકે છે.
ડીસા ભાજપમાં રાજકીય ગરમાવો: બે હરીફ નેતાઓનું મિલન, ચર્ચાઓનો દોર શરૂ

ટેગ્સ:#bjp#election strategy#Gujarat politics#Banaskantha District#Candidate Selection#political rivalry#political alliances#political dynamics.#Deesa Politics#Amrit Dave#Shashikant Pandya#Praveen Mali#Municipality Elections#Political Analysts
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
4 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
