પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

વેપારીઓ સાથે બેઠક કરી સાવચેતીથી વેપાર કરવા જાણ કરાઇ
પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથક ખાતે વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સાવચેતીથી અને તકેદારી રાખી વેપારીઓને વેપાર ધંધો કરવા જણાવવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવારો આવી રહ્યા છે જેને લઇ પુષ્ય નક્ષત્ર તેમજ ધન તેરસના તહેવારોમાં સોના ચાંદીની ખરીદી વધુ થતી હોય છે . તેમજ ફટાકડાઓનું વેચાણ દરમિયાન ફાયર સેફ્ટી તેમજ સાવચેતીથી વેપાર કરવા માટે વેપારીઓ સાથે પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ અંકુર દેસાઈ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ તહેવારો દરમિયાન સાવચેતીથી વેપાર ધંધો કરવા જણાવવામાં આવ્યું હતું તેમજ કોઈપણ જાતની તકલીફ પડે તો પોલીસને તુરંત સંપર્ક કરવા જાણ કરી હતી.
ટેગ્સ:#Police#Palanpur#meeting#Diwali festival#West Police Station#Pushya Nakshatra#Dhan Teras festivals
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢની બનાસ નદીમાં નવા નીર : ચાલુ વર્ષે પહેલીવાર પાણી આવતા ખેડૂતોમાં ખુશી
23 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના લિઝા કોમ્પલેક્ષ પાછળ દુકાનના ભોંયરામાંથી આધેડની લાશ મળતા અરેરાટી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના કાંટ પાસે ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ખેડા ભાખર ગામે મકાનમાં વીજળી પડી
1 દિવસ પહેલા
