પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

વેપારીઓ સાથે બેઠક કરી સાવચેતીથી વેપાર કરવા જાણ કરાઇ
પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથક ખાતે વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સાવચેતીથી અને તકેદારી રાખી વેપારીઓને વેપાર ધંધો કરવા જણાવવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવારો આવી રહ્યા છે જેને લઇ પુષ્ય નક્ષત્ર તેમજ ધન તેરસના તહેવારોમાં સોના ચાંદીની ખરીદી વધુ થતી હોય છે . તેમજ ફટાકડાઓનું વેચાણ દરમિયાન ફાયર સેફ્ટી તેમજ સાવચેતીથી વેપાર કરવા માટે વેપારીઓ સાથે પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ અંકુર દેસાઈ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ તહેવારો દરમિયાન સાવચેતીથી વેપાર ધંધો કરવા જણાવવામાં આવ્યું હતું તેમજ કોઈપણ જાતની તકલીફ પડે તો પોલીસને તુરંત સંપર્ક કરવા જાણ કરી હતી.
ટેગ્સ:#Police#Palanpur#meeting#Diwali festival#West Police Station#Pushya Nakshatra#Dhan Teras festivals
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
4 દિવસ પહેલા
