કુંભના મેળામાં જતા પાલનપુરના યાત્રિકો ને નડ્યો અકસ્માત

ગોબરી બ્રિજ પર ઇકો-કાર વચ્ચે અકસ્માત:5 ઘાયલ; પાલનપુરથી કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. ઇકો વાન અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.પાલનપુરથી પ્રયાગરાજ કુંભના મેળામાં જવા નીકળેલા યાત્રાળુ ઓને ગોબરી ઓવરબ્રિજ પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલી એક કાર યાત્રાળુઓની ઇકો વાન સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને પગલે યાત્રિકોને કારમાંથી બહાર કાઢવા માટે વાહનના કાચ તોડવા પડ્યા હતા. સ્થાનિક લોકો અને આસપાસના રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
1 દિવસ પહેલા
