રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા5 જૂન, 2025| Super Admin

પાલનપુરના ગઠામણ ગામના લોકોએ આઝાદીથી આજ સુધી સરપંચને વોટ જ નથી આપ્યો

પાલનપુરના ગઠામણ ગામના લોકોએ આઝાદીથી આજ સુધી સરપંચને વોટ જ નથી આપ્યો
ગઠામણ ગામમાં સાડા સાત દાયકાથી ચૂંટણી જ થઈ નથી હિન્દુ-મુસ્લિમ વારાફરતી બને છે સમરસ સરપંચ; બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એકપણ વાર ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઈ જ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો વસવાટ કરે છે. ગામની વિશેષતા એ છે કે અહીં દર પાંચ વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવે છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી કરવામાં આવે છે. તો બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક કરવામાં આવે છે. આ વર્ષે પણ ગામમાં ગ્રામજનોની સર્વસંમતિથી મુસ્લિમ મહિલાને સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી કરવામાં આવી છે. આ પરંપરા ગામમાં છેલ્લા સાડા સાત દાયકાથી અવિરત ચાલી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતાના દર્શન થાય છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. આ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે એક આદર્શ ઉદાહરણ બની રહી છે.

સંબંધિત સમાચાર