શાંતિપૂર્ણ માહોલમાં સુવ્યવસ્થિત રથયાત્રા યોજવા અપીલ
ડીસા શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રાના આયોજકો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુએ જણાવ્યું હતું કે, રથયાત્રાના માર્ગ પર રખડતા પશુઓને કારણે કોઈ અવરોધ કે અકસ્માત સર્જાય નહીં તે માટે પાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. બેઠકના અંતે તમામ સમાજના આગેવાનોએ પરસ્પર સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે ભગવાન જગન્નાથની રથયાત્રાને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.





