રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા8 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસાની સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર સિવિલ હોસ્પિટલનું બોર્ડ ન લાગતાં દર્દીઓને હાલાકી

ડીસાની  સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર સિવિલ હોસ્પિટલનું બોર્ડ ન લાગતાં દર્દીઓને હાલાકી
સિવિલ હોસ્પિટલનું બોર્ડ લાગેલું હોય તો રસ્તા ઉપરથી પણ જોઈ શકાય : પ્રજાજનો ડીસાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અંગે એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો ના અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આ સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર ઓળખનો બોર્ડ જ લાગેલો નથી. પરિણામે રોજબરોજ સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનોને હોસ્પિટલ શોધવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દૂરદૂરથી આવનારા દર્દીઓને સહિત અન્ય લોકોને પ્રવેશદ્વાર પર કોઈ સિવિલ હોસ્પિટલનું બોર્ડ લગાવેલ ન હોઇ શોધખોળ કરવી પડતી હોય છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયું નથી. હોસ્પિટલ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં હોવા છતાં, માર્ગદર્શક બોર્ડ ન હોવાને કારણે વાહનચાલકો, એમ્બ્યુલન્સ અને પેશન્ટોને વારંવાર લોકો પાસેથી પૂછપરછ કરવી પડે છે. દર્દી સેવા માટે બનાવવામાં આવેલ આ સંસ્થા પોતાનાં મુખ્ય દરવાજા પર નામફલક વિના કાર્યરત હોવું તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ ગણાઈ રહ્યું છે. સામાજિક આગેવાનો તથા સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઓળખનો સ્પષ્ટ અને મોટા કદનો બોર્ડ લગાવવાની માંગ ઉઠાવી છે. તેઓનું કહેવુ છે કે, હોસ્પિટલ જેવી જાહેર સેવા સંસ્થાએ સુવિધા, માર્ગદર્શન અને વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે સુનિશ્ચિત કરવું તંત્રની પ્રથમ જવાબદારી છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ ફરિયાદ પર કેટલું તાત્કાલિક ધ્યાન આપે છે.    

સંબંધિત સમાચાર