રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા8 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસાની સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર સિવિલ હોસ્પિટલનું બોર્ડ ન લાગતાં દર્દીઓને હાલાકી

ડીસાની  સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર સિવિલ હોસ્પિટલનું બોર્ડ ન લાગતાં દર્દીઓને હાલાકી
સિવિલ હોસ્પિટલનું બોર્ડ લાગેલું હોય તો રસ્તા ઉપરથી પણ જોઈ શકાય : પ્રજાજનો ડીસાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અંગે એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો ના અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આ સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર ઓળખનો બોર્ડ જ લાગેલો નથી. પરિણામે રોજબરોજ સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનોને હોસ્પિટલ શોધવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દૂરદૂરથી આવનારા દર્દીઓને સહિત અન્ય લોકોને પ્રવેશદ્વાર પર કોઈ સિવિલ હોસ્પિટલનું બોર્ડ લગાવેલ ન હોઇ શોધખોળ કરવી પડતી હોય છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયું નથી. હોસ્પિટલ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં હોવા છતાં, માર્ગદર્શક બોર્ડ ન હોવાને કારણે વાહનચાલકો, એમ્બ્યુલન્સ અને પેશન્ટોને વારંવાર લોકો પાસેથી પૂછપરછ કરવી પડે છે. દર્દી સેવા માટે બનાવવામાં આવેલ આ સંસ્થા પોતાનાં મુખ્ય દરવાજા પર નામફલક વિના કાર્યરત હોવું તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ ગણાઈ રહ્યું છે. સામાજિક આગેવાનો તથા સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઓળખનો સ્પષ્ટ અને મોટા કદનો બોર્ડ લગાવવાની માંગ ઉઠાવી છે. તેઓનું કહેવુ છે કે, હોસ્પિટલ જેવી જાહેર સેવા સંસ્થાએ સુવિધા, માર્ગદર્શન અને વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે સુનિશ્ચિત કરવું તંત્રની પ્રથમ જવાબદારી છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ ફરિયાદ પર કેટલું તાત્કાલિક ધ્યાન આપે છે.    

સંબંધિત સમાચાર