રખેવાલ
બ્રેકિંગ
બનાસકાંઠા18 જુલાઈ, 2025

વાવ રાછેણા એસ.ટી બસ અનિયમિત તેમજ ખખડધજ હાલતમાં મુકતા મુસાફરો માં ઉગ્ર રોષ

વાવ રાછેણા એસ.ટી બસ અનિયમિત તેમજ ખખડધજ હાલતમાં મુકતા મુસાફરો માં ઉગ્ર રોષ

વાવ થી વાવ રાછેણા એસ.ટી બસ જે થરાદ ડેપો મારફત ચાલી રહી છે તે વાયા કપીલેશવર મહાદેવ સરદારપુરા ગોલગામ નાળોદર થઈ રાછેણા ચાલી રહી છે.આ બસ વાવ થી વહેલી સવારે 7.30 કલાકે ઉપડી 9 કલાકે રાછેણા પહોંચવાનો છે. આ બાબતે ગોલગામ ના યુવા અગ્રણી મેઘરાજભાઈ ભદરૂ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કે આ બસ મહિનામાં એક સપ્તાહ અનિયમિત આવે છે. તેમજ એસ.ટી ડેપો થરાદ ખાતે થી મુકાતી એસ.ટી બસ એવી કડમ અને ખખડધજ હાલતમાં મુકાય છે કે થરાદ થી રાછેણા 32 કી.મી ના અંતરે મહિનામાં 3 થી 4 વખત રસ્તામાં બગડી જતાં મુસાફરો રસ્તામાં પરેશાન થાય છે. સત્વરે આ એસ.ટી બસ ને નિયમિત અને સારી હાલત માં મુકવામાં આવે તેવી આ વિસ્તારના આ રૂટના ગ્રામજનો તેમજ મુસાફરો ની ઉગ્ર માંગ છે. હવે પછી કોઈ રાડ ફરિયાદ રહેશે તો મુસાફરો જિલ્લા એસ.ટી વિભાગ ના નિયામક ને લેખિતમાં રજુઆત કરશે તેવું મુસાફરો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર