વાવ થી વાવ રાછેણા એસ.ટી બસ જે થરાદ ડેપો મારફત ચાલી રહી છે તે વાયા કપીલેશવર મહાદેવ સરદારપુરા ગોલગામ નાળોદર થઈ રાછેણા ચાલી રહી છે.આ બસ વાવ થી વહેલી સવારે 7.30 કલાકે ઉપડી 9 કલાકે રાછેણા પહોંચવાનો છે. આ બાબતે ગોલગામ ના યુવા અગ્રણી મેઘરાજભાઈ ભદરૂ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કે આ બસ મહિનામાં એક સપ્તાહ અનિયમિત આવે છે. તેમજ એસ.ટી ડેપો થરાદ ખાતે થી મુકાતી એસ.ટી બસ એવી કડમ અને ખખડધજ હાલતમાં મુકાય છે કે થરાદ થી રાછેણા 32 કી.મી ના અંતરે મહિનામાં 3 થી 4 વખત રસ્તામાં બગડી જતાં મુસાફરો રસ્તામાં પરેશાન થાય છે. સત્વરે આ એસ.ટી બસ ને નિયમિત અને સારી હાલત માં મુકવામાં આવે તેવી આ વિસ્તારના આ રૂટના ગ્રામજનો તેમજ મુસાફરો ની ઉગ્ર માંગ છે. હવે પછી કોઈ રાડ ફરિયાદ રહેશે તો મુસાફરો જિલ્લા એસ.ટી વિભાગ ના નિયામક ને લેખિતમાં રજુઆત કરશે તેવું મુસાફરો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
વાવ રાછેણા એસ.ટી બસ અનિયમિત તેમજ ખખડધજ હાલતમાં મુકતા મુસાફરો માં ઉગ્ર રોષ

ટેગ્સ:#media coverage#passenger complaints#Community Concerns#Transportation Issues#Public Transportation#Villager Demands#Youth Leadership#Vav-Rachena ST Bus#Irregular Service#Shabby Condition#Tharad Depot#Road Breakdowns#District ST Department
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
3 દિવસ પહેલા
