રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા18 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરનું સદ્દભાવના ગ્રુપ છેલ્લાં સોળ વર્ષથી સેવામાં કાર્યરત

પાલનપુરનું સદ્દભાવના ગ્રુપ છેલ્લાં સોળ વર્ષથી સેવામાં કાર્યરત
પાલનપુર બહારથી આવતાં શ્રમિકોને એક રૂપિયાના ટોકન દરે ખીચડી કઢીનું સ્વાદિષ્ટ ભોજન ગુરુનાનક ચોકમાં છેલ્લાં સોળ વર્ષથી ઠંડા પાણીની પરબ અવિરત ચાલું; બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા 16 વર્ષથી સેવાકીય કાર્યોમાં કાર્યરત સદભાવના ગ્રુપ દ્વારા ભૂખ્યાને ભોજન આપવામાં આવી રહ્યું છે. પાલનપુરમાં રોજગારી અર્થે આવતા શ્રમિકોને 1 રૂપિયાના ટોકન દરથી રોજના 1000 લોકોને ખીચડી કડીમાં ઘી સાથે સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લાં સોળ વર્ષથી પાલનપુર ગુરુનાનક ચોક ખાતે ઠંડા પાણીની પરબ થકી તરસ્યા લોકોની પાણીની તરસ છીપાવી અનેક સેવાકીય પ્રવૃતિ થકી સદ્દભાવના ગ્રુપની સેવા અવિરત ચાલી રહી છે. પાલનપુર વિસ્તારમાં આસપાસના ગામડાઓમાંથી રોજગારી મેળવવા આવતા રત્ન કલાકારો સહિત શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે અને કોઈ ખર્ચનો બોજ ન ઉપાડવો પડે તે હેતુસર 1 રૂપિયાના ટોકનથી ખીચડી કઢીનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જો કે મહત્વની વાત છે કે આ ખીચડી કડીના ભોજન પાછળ એક રૂપિયો ટોકન રાખવાનો આશય એવો છે કે આ ભોજન લેનાર વ્યક્તિ કોઈના પૈસે ભોજન આરોગવાની લાચારી ન અનુભવે. સદભાવના ગ્રુપના પ્રમુખ હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલનપુર સિવિલ બહાર સમર્પણ હોસ્પિટલ,ડોકટર હાઉસ અને જોરાવર પેલેસ જ્યાં ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. જમવા આવનાર દરેક વ્યક્તિ પોતાના હકનું ખાઈ રહ્યાં છે. અને એ મહેમાન હોય એમ મહેમાન નવાજી કરીને તેમને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. આગામી સમયમાં સદભાવના ટ્રસ્ટ શહેરના કોટ વિસ્તારમાં રહેતાં વડીલ વૃદ્ધો કે જેમના સંતાન બહાર રહેતા હોય તેઓ એકલા રહેતાં હોય એવા લોકો માટે અમો ટિફિન સેવા ચાલુ કરવાનું આયોજન કરી રહયા છીએ. જેમાં અમારી ટીમના યુવાનો તેમના ઘરે જઈને ટિફિન સેવા પૂરી પાડશે..

સંબંધિત સમાચાર