મહારાષ્ટ્રને ઘેલું લગાડનાર ગણપતિ મહોત્સવ હવે ગુજરાત માં પણ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા "ગોળાઈ કા રાજા""ની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આજે દેશભરમાં ગણપતિ મહોત્સવને પગલે ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઊઠયો છે. ત્યારે પાલનપુરમાં પણ ઠેરઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે પણ આજે "ગોળાઈ કા રાજા"ની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. દાતા સુખડીયા સ્વીટ પરિવાર ના નિવાસ સ્થાનેથી ગણતપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે ગુરુનાનક ચોક ખાતે પહોંચી હતી. જ્યાં ગોળાઈ કા રાજાનું સ્થાપન કરાયું હતું. જોકે, કળિયુગમાં ગણપતિ આરાધના અને ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. દુર્વા અને મોદક પ્રિય ગણેશજીની આરાધનાથી સિદ્ધિ પ્રાપ્ત થતી હોઇ આજે ઠેરઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી જિલ્લા સહિત સમગ્ર વિશ્વ કલ્યાણની પ્રાર્થના પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે કરી હતી. ત્યારે આજ થી પાંચ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી શહેરીજનો ગણપતિ બાપાની ભક્તિમાં તલ્લીન થશે. આજે ગણપતિ સ્થાપન બાદ 5 દિવસ સુધી રાત્રે ભજન સત્સંગ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ઓપરેશન સિંદૂર ની થીમ પર ઝલક રજુ કરવામાં આવશે.શહેરની ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ કરાયો છે.
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2025
પાલનપુર; ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા "ગોળાઈ કા રાજા" મહોત્સવનો શુભારંભ

ટેગ્સ:#Public Participation#Cultural Programs#Guru Nanak Chowk#Gujarat cultural events#Ganesh Utsav#Golai Ka Raja#Ganapati Mahotsav#Lord Ganesha worship#Durva and Modak rituals#Palanpur festival#Local religious traditions#Grand Ganesh procession#Operation Sindoor theme
સંબંધિત સમાચાર
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
22 કલાક પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
22 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું
22 કલાક પહેલા
