વાવ તાલુકાના ભાટવર વાસ ગામે રહેતા ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ (ઉ.વર્ષ અંદાજીત 55) અને રાણાભાઈ વાઘાભાઈ બ્રાહ્મણ (ઉ.વર્ષ અંદાજીત 60) એક્ટિવા લઈ માડકા મુકામે વેવાઈને મળવા જતા હતા .ત્યારે બપોરે અંદાજીત 3.30 કલાકના સમયે માડકા તરફથી પુરઝડપે આવી રહેલી ક્રેટા ગાડીનો ચાલક ટક્કર મારી ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. જેમનું સ્થળ ઉપર એક્ટિવાનો કુચો થઈ ગયો હતો. જોકે ભાણજીભાઈને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રાણાભાઈને 108 મારફત સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતની વાવ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે બનેના પાર્થિવ દેહને પીએમ માટે વાવ રેફરલ હોસ્પિટલ ખેસેડાયા હતા.આ બાબતની જાણ થતાં બ્રહ્મસમાજ સહિત અન્ય લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે ભાણજીભાઈ એક ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી અને ભાટવરવાસ દુ.ઉ.સ.મંડળીના ચેરમેન હોઈ રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા.
વાવના માડકા-ભાચલી રોડ પર માર્ગ અકસ્માતમાં બે ભૂદેવોના મોત થતાં અરેરાટી મચી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના આંગણે ₹21 કરોડનું નવું નજરાણું: વેપાર અને સંસ્કૃતિનું હબ બનશે 'અર્બન હાટ'
3 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
4 દિવસ પહેલા
