વાવ તાલુકાના ભાટવર વાસ ગામે રહેતા ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ (ઉ.વર્ષ અંદાજીત 55) અને રાણાભાઈ વાઘાભાઈ બ્રાહ્મણ (ઉ.વર્ષ અંદાજીત 60) એક્ટિવા લઈ માડકા મુકામે વેવાઈને મળવા જતા હતા .ત્યારે બપોરે અંદાજીત 3.30 કલાકના સમયે માડકા તરફથી પુરઝડપે આવી રહેલી ક્રેટા ગાડીનો ચાલક ટક્કર મારી ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. જેમનું સ્થળ ઉપર એક્ટિવાનો કુચો થઈ ગયો હતો. જોકે ભાણજીભાઈને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રાણાભાઈને 108 મારફત સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતની વાવ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે બનેના પાર્થિવ દેહને પીએમ માટે વાવ રેફરલ હોસ્પિટલ ખેસેડાયા હતા.આ બાબતની જાણ થતાં બ્રહ્મસમાજ સહિત અન્ય લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે ભાણજીભાઈ એક ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી અને ભાટવરવાસ દુ.ઉ.સ.મંડળીના ચેરમેન હોઈ રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા.
વાવના માડકા-ભાચલી રોડ પર માર્ગ અકસ્માતમાં બે ભૂદેવોના મોત થતાં અરેરાટી મચી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
1 દિવસ પહેલા
