રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા29 ડિસેમ્બર, 2024| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં તાવ,શરદી અને ખાંસીની બીમારીનો ઉપદ્રવ : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો

બનાસકાંઠા જિલ્લામાં તાવ,શરદી અને ખાંસીની બીમારીનો ઉપદ્રવ : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો
વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓ વધ્યા : સિવિલ સુપ્રીડેન્ટ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ સતત વાદળછાયું વાતાવરણ અને કાતિલ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. જેના કારણે લોકોને શરદી,તાવ અને ખાંસી જેવી બીમારીઓ લાગુ પડી છે. જેમાં ખાસ કરીને વડીલો અને નાના બાળકો બીમારીની ઝપટમાં આવ્યા છે.જેથી પાલનપુરની જનરલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધી પડ્યો છે. જેથી દર્દીઓમાં મુખ્યત્વે શરદી ખાંસી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જનરલ સિવિલ હોસ્પિટલમાં રોજ આવતાં દર્દીઓમાં તાવ,શરદી ખાંસીના 500 થી વધુના કેસો આવતાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ બાબતે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડોક્ટર સુનિલ જોશીના જણાવ્યા અનુસાર હાલમાં વાતાવરણમાં ફેરફારને કારણે તાવ શરદી અને ખાંસીના દર્દીઓ આવી રહ્યા છે. આવા ઠંડા વાતાવરણમાં લોકોએ ગરમ કપડાં પહેરવા અને પોતાનાં શરીરને સાચવવું જોઈએ અને કંઈક તકલીફ થાય તો ડોકટરને બતાવવું જોઈએ.તેવી સલાહ પણ આપી હતી.

સંબંધિત સમાચાર