રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા5 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભાદરવી પુનમે ૭ સપ્ટેમ્બરે બપોરે ૧૨:૩૦ સુધી જ માઇભકતો મંદિરમાં દર્શન કરી શકશે: કલેક્ટર મિહિર પટેલ

ભાદરવી પુનમે ૭ સપ્ટેમ્બરે બપોરે ૧૨:૩૦ સુધી જ માઇભકતો મંદિરમાં દર્શન કરી શકશે: કલેક્ટર મિહિર પટેલ
ચંદ્રગ્રહણના દિવસે સાંજે ૫ વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ; ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ ભાદરવી પૂનમ ને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેની સર્વે માઇભક્તોએ નોંધ લેવા મંદિર વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ભાદરવી પુનમના ચંદ્રગ્રહણ ને અનુલક્ષીને જણાવ્યું કે, આ દિવસે બપોરે ૧૨:૩૦ કલાક સુધી માઇભકતો મંદિરમાં દર્શન કરી શકશે. તેમજ ધજા ચડાવી શકશે. ૧૨:૩૦ પછી દર્શન કરી શકાશે નહી અને ધજા ચડાવી શકાશે નહી. ત્યારબાદ સાંજે ૫ વાગ્યા સુધી માઇભકતો જાળીમાંથી દર્શન કરી શકશે. સાંજે ૫ વાગ્યા પછી મંદિર સંપૂર્ણ પણે બંધ રહેશે જેની નોંધ લેવા સર્વે માઈ ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દિવસે આરતી દર્શનનો સમય તા.07/09/2025 (રવિવાર ને પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી) આરતી સવારે: ૦૬:૦૦ થી ૦૬:૩૦ દર્શન સવારે: ૦૬:૦૦ થી ૧૦:૦૦ દર્શન બંધ : સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ શયનકાળ આરતી : ૧૨:૦૦ થી ૧૨:૩૦ બંધ મંદિરમાં જાળી માંથી દર્શનનો સમય : ૧૨.૩૦ થી ૧૭.૦૦ દર્શન બંધ : સાંજે ૧૭.૦૦ થી નોંધ:- તા.૭-૯-૨૦૨૫ ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે ૧૨.૩૦ કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહિ. તા.૦૮-૯-૨૦૨૫ થી આરતી -દર્શનનો સમય રાબેતા મુજબનું રહેશે.

સંબંધિત સમાચાર