રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ1 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લામાંથી અંબાજી જવા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5000 થી વધુ યાત્રીઓ જોડાશે

પાટણ જિલ્લામાંથી અંબાજી જવા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5000 થી વધુ યાત્રીઓ જોડાશે
મંગળવાર સાંજથી એક પછી એક પગપાળા યાત્રા સંઘો અંબાજી તરફ મા અંબાના જય ઘોષ વચ્ચે પગરવ માંડશે; પાટણ જિલ્લા માંથી તા. 2 સપ્ટેમ્બરે થી નાના મોટા 80 થી વધુ પગપાળા સંઘોમાં 5 હજારથી વધુ માઈભક્તો જોડાઈ ને બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જવા માટે પ્રયાણ કરવાના છે.જેને લઈને પગપાળા યાત્રાસંઘો ના આયોજકો દ્વારા માતાજીની માંડવી સહિત સીધા સમાન મૂકવા માટે લઈ જવાતા ટ્રેકટરો સહિત ના સાધનો સજાવવાની તૈયારીઓ પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બિરાજમાન આધશક્તિ અંબાજી માતાના મંદિર ખાતે દર વર્ષ ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાયા છે.જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ લાખો ભકતો ઉમટી જગદંબાના ચરણોમાં શિશ નમાવવા માટે માતાજીના રથો સાથે સંઘ લઇને પગપાળા ચાલીને આવે છે. તા. 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે આ જંગદબા નો ભવ્ય મેળો નો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના મોટા 80 થી વધુ પગપાળા સંઘ અંબાજી જવાના છે જેમાં અંદાજે 5 હજારથી વધુ પદયાત્રીઓ જોડાશે.જે માટે સંઘોના આયોજકો દ્રારા શ્રી ભાદરવી પુનમયા સંઘ સેવા ટ્રસ્ટ અંબાજી માં પોતાના રજીસ્ટ્રેશન પણ કરાવી લીધા છે. આ રજીસ્ટ્રેશન કરાવેલા સંઘોએ પોતાના ઉતારા સ્થળ સુધી પોતાના વાહનો લઇ જવા માટે ઓનલાઈન પરમિશન મેળવી  એડવાન્સ પાસ મેળવી લીધા છે. તો કેટલાક પદયાત્રીઓ માતાજી ની ધજા પતાકા સાથે એકલ દોકલ અથવા તો પોતાના ગ્રુપમાંઆગામી 2 સપ્ટેમબર સાજ થી વાજતે-ગાજતે બોલ મારી અંબે નાદ સાથે અંબાજી જવા માટે પ્રયાણ કરશે.

સંબંધિત સમાચાર