રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય6 ડિસેમ્બર, 2025| Super Admin

ઇન્ડિગો એરલાઇન્સની 2000થી વધુ ફ્લાઇટ્સ રદ મુસાફરોની મુશ્કેલીમાં વધારો

ઇન્ડિગો એરલાઇન્સની 2000થી વધુ ફ્લાઇટ્સ રદ મુસાફરોની મુશ્કેલીમાં વધારો
ઇન્ડિગો એરલાઇન્સે છેલ્લા 4 દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ કરીને મુસાફરોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરંતુ આવું પહેલીવાર બન્યું નથી. લોકલસર્કલ્સના સર્વે મુજબ, છેલ્લા એક વર્ષમાં આ કંપની વિરુદ્ધની ફરિયાદોમાં 63% નો વધારો થયો છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે ઇન્ડિગોથી મુસાફરી કરનારા 54% મુસાફરોએ ફ્લાઇટમાં મોડું થવાથી અને સ્ટાફના ખરાબ વર્તનની ફરિયાદો કરી છે. દેશના એરલાઇન માર્કેટમાં ઇન્ડિગોનો હિસ્સો 60% છે. સર્વેમાં મુસાફરોએ છેલ્લા 12 મહિનામાં ફ્લાઇટ રદ થવી, મોડી પડવી અને સેવા સંબંધિત સમસ્યાઓની સૌથી વધુ ફરિયાદો કરી છે. એટલું જ નહીં, પાઇલટ અને ક્રૂની અછતને કારણે કંપનીને માત્ર નવેમ્બર મહિનામાં 1,232 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. સ્ટાફના વર્તનની સૌથી વધુ ફરિયાદો; લોકલસર્કલ્સના સર્વેમાં મુસાફરોને 15 સમસ્યાઓ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. તેમાં 15,938 મુસાફરોએ 15 મુદ્દાઓમાંથી એકથી વધુ સમસ્યાઓની ફરિયાદ કરી હતી. 54% લોકોએ ફ્લાઇટ સમયસર ન ઊડવાને મોટી સમસ્યા ગણાવી હતી. આ સાથે 54% લોકોએ સ્ટાફના વર્તનની ફરિયાદ કરી હતી. 45% મુસાફરોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને માહિતી મોડી અથવા અધૂરી આપવામાં આવી હતી. 42% લોકોએ સામાન સંભાળવાની ફરિયાદ કરી હતી. 32% લોકોએ ગ્રાહક સેવા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર