સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 'સત્સંગદીક્ષા ગ્રંથ'ના શ્લોકો મુખપાઠ કરનારા 212 બાળકોની અભિવાદન યાત્રા યોજાઈ હતી. આ યાત્રાને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના અગ્રણીઓએ મોદી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સિદ્ધિ સંસ્કાર અને મૂલ્ય આધારિત શિક્ષણના પ્રચારનો ભાગ છે. મહંતસ્વામી દ્વારા રચિત 'સત્સંગદીક્ષા ગ્રંથ'ના 315 સંસ્કૃત શ્લોકોનો 3 થી 14 વર્ષના કુલ 15,666 બાળકોએ મુખપાઠ કરીને વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિને સંસ્કાર શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ગણવામાં આવે છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બાળકોને અભિનંદન આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય અભિવાદન યાત્રાનું આયોજન કરાયું હતું. હિંમતનગરના બેરણા રોડ પર આવેલા મોદી ગ્રાઉન્ડથી 50 થી વધુ વાહનોમાં જિલ્લાના 212 બાળકો જોડાયા હતા. ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ બાળકોના ઉત્સાહને બિરદાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને શુભાશિષ પાઠવ્યા હતા. આ અભિવાદન યાત્રા મોદી ગ્રાઉન્ડથી શરૂ થઈને બેરણા રોડ, મહાવીરનગર, લક્ષ્મીનારાયણ સોસાયટી, નર નારાયણ સ્વામિનારાયણ મંદિર રોડ, સાબર સોસાયટી, અપના બજાર, જે.પી. મોલ અને કાંકરોલ થઈને નેશનલ હાઈવે પરથી BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટ સુધી પહોંચી પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં સંતો-મહંતો, બાળકો અને તેમના વાલીઓ પણ જોડાયા હતા. હરિભક્તો દ્વારા ઠેર ઠેર ફૂલડાં વરસાવીને યાત્રાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરમાં સત્સંગદીક્ષા ગ્રંથ મુખપાઠ કરનાર બાળકોની યાત્રાનું ધારાસભ્ય દ્વારા પ્રસ્થાન કરાવ્યું

ટેગ્સ:#children#Himmatnagar#Yatra#achievement#Satsangdiksha Granth#MLA flags#Mahantaswami#Sanskrit verses#Modi Ground
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં રામમંદિરના દાન મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મેઘતાંડવ: એક કલાકમાં ૨ ઇંચ વરસાદથી હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ
2 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરના તલાટીઓનો મિજાજ: ૧૪ કામગીરીઓથી મુક્તિ મુદ્દે બહિષ્કાર કર્યો
5 દિવસ પહેલા
સાબરકાંઠાસ્વચ્છતા અભિયાન: સાબરકાંઠાના કલેક્ટરે ઇલોલ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી
6 દિવસ પહેલા
