રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ29 ઑગસ્ટ, 2026| Super Admin

સુઇગામના નડાબેટ ખાતે વીર જવાનો સાથે મંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

સુઇગામના નડાબેટ ખાતે વીર જવાનો સાથે મંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

સુઇગામના નડાબેટ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વ  નિમિતે સરહદ પર દેશની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવતા વીર જવાનો સાથે રક્ષાબંધન ના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદી વિસ્તારના આ મહત્વપૂર્ણ સ્થળે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ પરિવારથી દૂર રહી રાષ્ટ્રસેવામાં સમર્પિત જવાનો પ્રત્યે સ્નેહ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો.
રાજ્ય કક્ષાના મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.જે પ્રસંગે જવાનોની ફરજ, શૌર્ય, ત્યાગ અને રાષ્ટ્રપ્રેમને બિરદાવવામાં આવ્યા હતા. કપરા હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ સરહદની સુરક્ષા માટે અડગ રહી ફરજ બજાવતા જવાનો દેશવાસીઓ માટે એક પ્રેરણારૂપ છે.
મંત્રી સ્વરૂપજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સરહદો પર જવાનોની નિષ્ઠા અને સમર્પણને કારણે સમગ્ર દેશ સુરક્ષિત અને નિશ્ચિંત છે. રક્ષાબંધનનો પર્વ માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક નથી, પરંતુ દેશની રક્ષા કરનારા જવાનો સાથેના અતૂટ લાગણીસભર બંધનને પણ વ્યક્ત કરે છે. તેમણે જવાનોના સુખ, સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુરક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી.
જે પ્રસંગે જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં મંત્રીએ કહ્યું હતું કે, પરિવારથી દૂર રહી દેશને સર્વોપરી માનીને ફરજ બજાવતા જવાનોના ત્યાગને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. સરહદ પર જવાનોનું સમર્પણ છે, એટલે દેશ સુરક્ષિત છે અને દેશવાસીઓ તહેવારો આનંદપૂર્વક ઉજવી શકે છે. કાર્યક્રમ અંતે જવાનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ સાથે તેમના અવિરત રાષ્ટ્રસેવા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ટેગ્સ:#Suigam

સંબંધિત સમાચાર