રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા3 જુલાઈ, 2026| Super Admin

મેઘમહેર: વિજાપુરમાં સાંબેલાધાર ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર

મેઘમહેર: વિજાપુરમાં સાંબેલાધાર ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેનાથી સમગ્ર પંથકમાં ખુશનુમા ઠંડક પ્રસરી ગઈ છે. ગુરુવારે બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં સૌથી વધુ નોંધપાત્ર આંકડો વિજાપુરનો રહ્યો છે, જ્યાં ૭૫ મીમી (ત્રણ ઇંચ) જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અરવલ્લીના બાયડમાં બે ઇંચ, સાઠંબામાં પોણા બે ઇંચ, જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજ અને બનાસકાંઠાના દાંતામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. પાટણના સમીમાં પણ ૨ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં ૧ થી ૧૭ મીમી સુધીની મેઘમહેર જોવા મળી હતી.

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, કડીમાં ૧૭ મીમી અને વિસનગરમાં ૧૦ મીમી વરસાદ પડ્યો હતો, પરંતુ વિજાપુરમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સાંજે ૪ વાગ્યાથી લઈને રાત્રિના ૮ વાગ્યા સુધીના માત્ર ચાર કલાકના સમયગાળામાં જ ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ખત્રી કૂવા, ચક્કર અને ટીબી જેવા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ટીબી વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેનાથી સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરીજનો માટે ભલે મુશ્કેલી સર્જાઈ હોય, પરંતુ આ ભારે વરસાદે જગતના તાત માટે ખુશીનો માહોલ સર્જ્યો છે. સમયસર અને સારા પ્રમાણમાં વરસેલા આ કાચા સોના જેવા વરસાદથી ખેતીને મોટો ફાયદો થયો છે. કપાસ, મગફળી અને વિવિધ શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને હવે પાક માટે બોરવેલના પાણી પર નિર્ભર રહેવામાંથી મોટી રાહત મળી છે. સિંચાઈ માટે કુદરતી રીતે જ પાણી મળી જતા ખેડૂત આલમમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.

ટેગ્સ:#Vijapur

સંબંધિત સમાચાર