વાવ અને થરાદ પંથકમાં વહીવટી તંત્ર દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીના માર્ગદર્શન હેઠળ કુલ ૨૧૩ તલાટી કમ મંત્રીઓની બદલી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ બદલીઓ જે-તે કર્મચારીઓની સ્વ-વિનંતી અને તેમણે આપેલા વિકલ્પના આધારે કરવામાં આવી છે. આ કારણે નિયમ મુજબ બદલી પામેલા કોઈ પણ કર્મચારીને બદલી ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં.વહીવટી તંત્ર દ્વારા આ બદલીઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. તમામ ૨૧૩ તલાટીઓને પોતાની જૂની ફરજ પરથી મુક્ત થઈને નવી નિમણૂકના સ્થળે વિલંબ કર્યા વગર હાજર થવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ચૂંટણીની વ્યસ્તતા બાદ હવે ગ્રામીણ સ્તરે વહીવટી કામગીરીમાં ગતિ લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.
વાવ-થરાદમાં ચૂંટણી પ્રક્રિયા બાદ તલાટી કમ મંત્રીઓની મોટાપાયે આંતરિક બદલી

સંબંધિત સમાચાર
બનાસકાંઠારાજસ્થાન : ધાનેરાના 3 લોકોના મોત, 3 ગંભીર ઘાયલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાલોકપ્રશ્નોના ઉકેલ માટે એક્શન મોડમાં તંત્ર: બનાસકાંઠા કલેક્ટરે સંકલન બેઠકમાં આપ્યા કડક નિર્દેશ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા પોલીસને મોટી સફળતા: ગાડીઓના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા પાસેનો ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો : રૂ.3.14 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને દબોચી લેવાયા
2 દિવસ પહેલા
