રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 ડિસેમ્બર, 2024| Super Admin

કોંગ્રેસમાં કકળાટ બનાસકાંઠા કોંગ્રેસ માઈનોરિટી સેલના હોદ્દેદારોનું રાજીનામું

કોંગ્રેસમાં કકળાટ બનાસકાંઠા કોંગ્રેસ માઈનોરિટી સેલના હોદ્દેદારોનું રાજીનામું
મુસ્લિમને પોતાની જાગીરી સમજતી કોંગ્રેસ દ્વારા માઈનોરિટીની સમસ્યાઓ પરત્વે ઓરમાયું વર્તન દાખવાતું હોવાની રાવ: બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં કકળાટ સર્જાયો છે. કોંગ્રેસના નેતાઓના માઈનોરિટી પ્રત્યેના ઓરમાયા વર્તનથી દુઃખી થઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી સેલના ચેરમેન સહિત સમગ્ર બોડીએ રાજીનામું ધરી દેતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા કોંગ્રેસ માઈનોરિટી સેલના પ્રમુખ સાજીદ મકરાણીએ પાલનપુર ખાતે પ્રેસ કોંફરન્સ યોજી રાજીનામું ધરી દીધું હતું. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઈનોરીટીના સેલના ચેરમેન સાજીદ મકરાણીએ જણાવ્યું હતું કે, પાલનપુરમાં વર્ષોથી માઈનોરિટી વિસ્તારની સમસ્યાઓનો નિકાલ આવતો નથી. આ અંગે અવાજ ઉઠાવવા જતા અવાજ ઉઠાવનારને જ નોટિસ ફટકારવામાં આવે છે. રમઝાન માસમાં વોર્ડ નં.4 ની સમસ્યા અંગે માઈનોરિટી સેલના ઉપપ્રમુખ મરીયમબેન મિર્ઝાએ અવાજ ઉઠાવતા તેઓને જ હોદ્દા પરથી દુર કરવાની નોટિસ આપતા માઈનોરીટી સેલના હોદ્દેદારો ભડકી ગયા હતા. જેઓએ પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસ ના વોર્ડ નં.4 ના કોર્પોરેટર અબરાર શેખ, કોંગ્રેસના નેતા ઝાકીર ચૌહાણ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દિનેશ ગઢવી સામે ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપો કરી 52 સદસ્યોની બનેલી સમગ્ર બોડીએ હોદ્દા પરથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું ધરી દીધું છે. આમ, મુસ્લિમ વોટ બેંક ને પોતાની જાગીરી સમજતી કોંગ્રેસના માઈનોરિટી સેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસનો કકળાટ બહાર આવ્યો છે. જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે ઘાતક નીવડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર