રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 જૂન, 2026| Super Admin

કાંકરેજના રાનેરમાં કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા દરબાર સમાજની 8 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

કાંકરેજના રાનેરમાં કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા દરબાર સમાજની 8 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

કાંકરેજ તાલુકાના રાનેર ગામે કદમ સેવા ફાઉન્ડેશનના સૌજન્યથી તથા પ્રમુખ જાદવ કનુભા વી.ના માર્ગદર્શન હેઠળ પાંચમા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરબાર સમાજની 8 દીકરીઓ વૈદિક વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ પોતાના નવા જીવનમાં પ્રવેશી હતી.

સમારોહમાં ગામના સરપંચ ચતુરસિંહ જાદવ, જોષી પ્રવીણભાઈ, આચાર્ય દવે રતુભાઈ, મહારાજ ચાણોદ હરેશભાઈ સહિત સમાજના આગેવાનો, મહેમાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉપરાંત સમૂહ લગ્ન યોજાયેલા સ્થળે વૃદ્ધોની સેવા અને સંભાળ માટે નિર્માણ પામનારા વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલને સમાજના આગેવાનો અને ગ્રામજનોએ આવકારી હતી.

કાર્યક્રમના સફળ આયોજનમાં મદારસિંહ સમૌવાળા અને તેમની ટીમે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાભાવના માહોલમાં સંપન્ન થયો હતો. સમાજના સહયોગથી યોજાયેલા આ સમૂહ લગ્ન સામાજિક એકતા, સાદગી અને દીકરીઓના કલ્યાણ માટે પ્રેરણારૂપ બન્યા હતા.

સંબંધિત સમાચાર