હારીજ UGVCL કચેરી દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો જેના વીજળી બિલ ભરેલ નથી અને વીજ કનેક્શનો રદ થઈ કપાઈ ગયેલ છે. તેવા પરિવાર માટે જલિયાણ ગ્રુપ હારીજના મિતેશભાઈ ઠક્કર અને શૈલેષભાઇ ઠકકર દ્વારા વીજળી બિલ ભરપાઈ કરવાની જાહેરાત કરી ગરીબ પરિવારો માટે એક ખુશીનો નિર્ણય લઈ હારીજ તાલુકાના ગરીબ પરિવારો માટે પ્રેરણાદાયી કાર્ય કરનાર હોવાનું જાણવા મળ્યું છે.હારીજ જલિયાણ ગૃપ હમેશા દરેક સમાજના જરૂરિયાત મંદ લોકોની ચિંતા કરી આર્થિક મદદ કરી હારીજ પંથકના લોકો નો પ્રેમ સંપાદન કર્યો છે. જલિયાણ ગૃપ હારીજ ના મિતેશભાઇ ઠકકર અને શૈલેષભાઈ ઠકકર દ્રારા શનિવારે યુજીવીસીએલ હારીજ દ્વારા આયોજિત લોક અદાલતની જેને પણ નોટિસ મળી હોય તે લોકોને સમયસર લોક અદાલતમાં યુજીવીસીએલ કચેરી ખાતે હાજર રહેવા અપીલ કરી છે.
જલિયાણ ગ્રુપ હારીજ દ્વારા યુજીવીસીએલના લોક દરબારમાં જરૂરિયાત મંદોના વિજ કનેક્શનની બાકી રકમ ભરપાઈ કરશે
ટેગ્સ:#UGVCL#Lok Adalat#Electricity Connections#social responsibility#financial aid#Community Assistance#Jalian Group Harij#Electricity Reimbursement#Lok Darbar#Rural Support#Needy Families
સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
2 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
2 દિવસ પહેલા
