રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા1 ઑગસ્ટ, 2025| Super Admin

પવિત્ર શ્રાવણ મહિનામાં; રોજે રોજ માટીમાંથી શિવલિંગ બનાવીને મંત્રોચ્ચારથી શિવ પૂજા

પવિત્ર શ્રાવણ મહિનામાં; રોજે રોજ માટીમાંથી શિવલિંગ બનાવીને મંત્રોચ્ચારથી શિવ પૂજા
લાખણીમાં જકેશ્વર મહાદેવ મંદિરે શિવ આરાધના; ભગવાન ભોળાનાથ એ દેવોના દેવ છે એટલે એમનું એક નામ મહાદેવ છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો વિવિધ પ્રકારે શિવપૂજા કરે છે. કળિયુગના સમયમાં પાર્થિવ પૂજાનું ખૂબ મહત્વ છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જે ભક્તો પાર્થિવ શિવ પૂજા કરે છે એમને ફળ ભોળાનાથ આપે છે કારણ કે પાર્થિવ પૂજા એ કળિયુગમાં ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. જે માણસ તન, મન કે ધનથી દુ:ખી હોય કે પછી પોતાની સર્વ મનોકામના પૂર્ણ કરવા માટે પોતાના કલ્યાણ માટે જે જે ભક્ત શિવ પાર્થિવ પૂજા કરે છે તો એના ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે. પાર્થિવ પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શુધ્ધ માટી લાવવી. ત્યારબાદ એ માટીમાંથી ભાવ સાથે ભગવાન ભોળાનાથનું શિવલિંગ તૈયાર કરવું અને શિવ પરિવાર તૈયાર કરવા. ત્યારબાદ બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે એ શિવલિંગનું પૂજન કરવું અને પૂજા-આરતી કર્યા બાદ એ શિવલિંગને નદી કે તળાવમાં વિસર્જન કરવું. શિવલિંગના અલગ અલગ પ્રકાર હોય છે જેમ કે સ્ફટિકનું શિવલિંગ આવે, પારાનું શિવલિંગ આવે, પથ્થરનું શિવલિંગ આવે વગેરે પણ આ બધા જ શિવલિંગમાં પાર્થિવ એટલે કે માટીના શિવલિંગનું મહત્વ વધારે છે એમાંય કળિયુગના સમયમાં જે માણસ શિવ પાર્થિવ પૂજા કરે છે તો એ માણસ વિવિધ દુ:ખોમાંથી મુક્ત થાય છે અને એની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન ભોળાનાથને શ્રાવણ માસ અતિ પસંદ છે અને અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને પોતાના કલ્યાણ માટે શિવ પાર્થિવ પૂજા કરવી જોઈએ.

સંબંધિત સમાચાર