શિવનગર સોસાયટીમાં 10 દિવસથી ડહોળું પાણી આવતાં નગરજનોમાં ફફડાટ થરાદ શહેરના શિવનગર સહિત બજારમાં કેટલીક સોસાયટીઓમાં ગંદુ પાણી આવવાથી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવાનો રોષ પણ પ્રસરવા પામ્યો છે. નગરપાલિકા સુત્રોએ આ અંગે કેનાલમાંથી પાણી ડહોળું આવતું હોવાનું જણાવ્યું હતું.: થરાદ નગરના શિવનગર વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લખેનીય છેકે પાલિકા દ્વારા પ્રજાને કેનાલમાંથી પાણી લઇને આપવામાં આવે છે. અને પાલિકા સુત્રોએ કેનાલમાંથી જ પાણી ડહોળું આવતું હોવાનું જણાવ્યું હતું.






