રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા28 નવેમ્બર, 2024| Super Admin

થરાદમાં કેનાલમાંથી આવતા ગંદાપાણીથી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં

થરાદમાં કેનાલમાંથી આવતા ગંદાપાણીથી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં

શિવનગર સોસાયટીમાં 10 દિવસથી ડહોળું પાણી આવતાં નગરજનોમાં ફફડાટ થરાદ શહેરના શિવનગર સહિત બજારમાં કેટલીક સોસાયટીઓમાં ગંદુ પાણી આવવાથી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવાનો રોષ પણ પ્રસરવા પામ્યો છે. નગરપાલિકા સુત્રોએ આ અંગે કેનાલમાંથી પાણી ડહોળું આવતું હોવાનું જણાવ્યું હતું.: થરાદ નગરના શિવનગર વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લખેનીય છેકે પાલિકા દ્વારા પ્રજાને કેનાલમાંથી પાણી લઇને આપવામાં આવે છે. અને પાલિકા સુત્રોએ કેનાલમાંથી જ પાણી ડહોળું આવતું હોવાનું જણાવ્યું હતું. 

બીજી બાજુ આ પાણીનો ઉપયોગ થરાદ શહેર અને થરાદ-વાવ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પીવા માટે કરે છે. બીજી બાજુ હાલ કોઈ ગંદા પાણીના ટ્રીટમેન્ટ થઇ શકે એવો કોઈ પ્લાન્ટ પણ નથી. આથી આ પાણી લોકોના આરોગ્ય માટે અનુકુળ નથી. પરિણામે આ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલ છે, નગરના નાગરીકોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા અપાતા આ પાણીથી આમ લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે, આથી જો રોગચાળો ફાટી નીકળશે તો સમગ્ર જવાબદારી સરકારી તંત્રની રહેશે. ડહોળું પાણી આવતાં આરોગ્ય કથળવાની દહેશતની રહીશોમાં રોષની લાગણી પ્રસરવા પામી હતી.

સંબંધિત સમાચાર