રાધનપુરમાં ડાયપરની એજન્સી આપવાના બહાને એક જનરલ સ્ટોરના વેપારી સાથે રૂ. 42,456ની છેતરપિંડી થઈ છે. આરોપીઓએ વેપારીને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પર ખોટું GST બિલ મોકલ્યું હતું, પરંતુ પેમેન્ટ મેળવ્યા બાદ કોઈ માલ મોકલ્યો ન હતો.આ અંગે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુરની શેરબાગ સોસાયટીમાં રહેતા અને મેઈન બજારમાં સ્વસ્તિક જનરલ સ્ટોર ધરાવતા મિલન ઠક્કર ગત 27 ડિસેમ્બર, 2025ના રોજ તેમની દુકાને હાજર હતા. તે સમયે તેમના મોબાઈલ પર હિમાંશુ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ મેમીપોકો ડાયપરની એજન્સી આપનાર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે તેનો સેલ્સમેન અગાઉ ઓર્ડર લઈ ગયો છે અને માત્ર પેમેન્ટ કરવાનું બાકી છે. ત્યારબાદ આરોપીએ 'શ્રી માર્કેટિંગ,નારોલ, અમદાવાદ ના નામનું રૂ.42,456 નું પ્રોફોર્મા ઇનવોઇસ (GST બિલ) વોટ્સએપ પર મોકલ્યું. આ બિલના આધારે વિશ્વાસમાંઆવીને વેપારીએ પોતા નીપત્ની ના HDFC બેંક ખાતામાંથી આરોપીએ આપેલા બેંક ખાતામાં પૂરેપૂરી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પેમેન્ટ કર્યા બાદ જ્યારે વેપારીએ માલ અંગે પૃચ્છા કરી,ત્યારે આરોપીએ જણાવ્યું કે માલ 'વિજયલક્ષ્મી ટ્રાન્સપોર્ટ'માં મોકલી આપ્યો છે. જોકે, રાધનપુર ખાતે તપાસ કરતા આવો કોઈ માલ આવ્યો ન હોવાનું જાણવા મળ્યું. વધુ તપાસ કરતા આરોપીએ તેના મેનેજર તરીકે પ્રતિક શાહ નામની વ્યક્તિનો નંબર આપ્યો, જેણે એજન્સી માટે વધુ રૂ. 34,000ની માંગણી કરી હતી. સતત વધુ નાણાંની માંગણી અને માલ ન મળતા વેપારીને શંકા ગઈ. અન્ય વેપારી મિત્રો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ લોકો ખોટા નામે ઠગાઈ કરી રહ્યા છે. ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રાધનપુર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે હિમાંશુ અને પ્રતિક શાહ નામના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રાધનપુરમાં ડાયપર એજન્સીના નામે વેપારીને GST બિલ મોકલી રૂ.42,456ની છેતરપિંડી કરાઈ

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
3 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
3 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
3 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
5 દિવસ પહેલા
