રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય23 મે, 2026| Super Admin

ચીનની કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ: 90 મજૂરોના મોત, જિનપિંગે કહ્યું- ‘ગુનેગારોને છોડવામાં નહીં આવે’

ચીનની કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ: 90 મજૂરોના મોત, જિનપિંગે કહ્યું- ‘ગુનેગારોને છોડવામાં નહીં આવે’

ચીનના શાંક્સી પ્રાંતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 મજૂરોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને ચીનમાં છેલ્લા એક દાયકાની સૌથી મોટી અને ભયાનક કોલસા ખાણ દુર્ઘટના માનવામાં આવી રહી છે. ઘટનાને પગલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કડક વલણ અપનાવતા ન્યાયિક તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભીષણ વિસ્ફોટ શુક્રવારે શાંક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં થયો હતો, જે બેઇજિંગથી આશરે 520 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. અહેવાલો મુજબ, વિસ્ફોટ થતાં પહેલાં ખાણની અંદર ઝેરીલા 'કાર્બન મોનોક્સાઇડ' ગેસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ ચેતવણી પર યોગ્ય પગલાં લેવાય તે પહેલાં જ ખાણની અંદર જોરદાર બ્લાસ્ટ થયો હતો.

જે સમયે આ દુર્ઘટના સર્જાઈ, તે સમયે ખાણની અંદર 247 જેટલા મજૂરો શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. હજુ પણ કેટલા મજૂરો અંદર ફસાયેલા છે તેની ચોક્કસ વિગતો સામે આવી નથી. હાલમાં મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે, હંમેશાની જેમ ચીની મીડિયા દ્વારા શરૂઆતમાં આંકડા છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. શિન્હુઆએ પ્રારંભિક અહેવાલમાં માત્ર 8 લોકોના મોતની વાત કહીને 200થી વધુ મજૂરોને બચાવી લેવાયા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતાં અચાનક આ આંકડો વધારીને 82 અને ત્યારબાદ 90 થયો હોવાનું સ્વીકારવું પડ્યું હતું. સરકારી મીડિયાએ આ આંકડાની હેરાફેરી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

સંબંધિત સમાચાર