હિંમતનગરના રાજપુર ગામમાં એક ખેડૂતને મોટું નુકસાન થયું છે. વીજ વાયરમાંથી ઝરતા તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. રાજપુર ગામના ખેડૂત 10 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. છેલ્લા 10 દિવસથી તેઓ પાકની કાપણી કરી રહ્યા હતા. રવિવારે તેમણે ત્રણ વીઘા ઘઉંની કાપણી કરીને ખેતરમાં ઢગલો કર્યો હતો. બપોરના સમયે થ્રેસરમાં ઘઉં કાઢવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતરમાંથી પસાર થતા વીજ વાયરો ઝોલા ખાતા હતા. વાયરમાંથી તણખા ઝર્યા અને ઘઉંના ઢગલામાં પડ્યા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ઢગલો બળીને ખાખ થઈ ગયો. ખેડૂતે તરત જ વીજ વિભાગને આ ઘટનાની જાણ કરી છે. આ ઘટનાથી ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે.
હિંમતનગર; વીજ વાયરમાંથી તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ

ટેગ્સ:#Himmatnagar#Financial Loss#Wheat Crop#Harvesting#Fire Outbreak#Power Line Sparks#Rajpur Village#Farmer's Plight#Electricity Department
સંબંધિત સમાચાર
સાબરકાંઠાચોરીવાડ દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ: સાબર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઅષાઢી માહોલ વચ્ચે કમોસમી આફત: સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ગાજવીજ સાથે વરસાદ, હિંમતનગર અને વડાલીમાં પણ છાંટા પડ્યા
4 દિવસ પહેલા
સાબરકાંઠાઇડરમાં કોંગ્રેસના આક્રમક તેવર: સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધની ટિપ્પણી મામલે ભાજપ પ્રદેશ પ્રમુખના રાજીનામાની માંગ
4 દિવસ પહેલા
સાબરકાંઠાબંગાળમાં 'કમળ' ખીલતા હિંમતનગરમાં વિજયોત્સવ: ભાજપ કાર્યકરોએ આતશબાજી કરી જીતની ઉજવણી કરી
6 દિવસ પહેલા
