હિંમતનગરના રાજપુર ગામમાં એક ખેડૂતને મોટું નુકસાન થયું છે. વીજ વાયરમાંથી ઝરતા તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. રાજપુર ગામના ખેડૂત 10 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. છેલ્લા 10 દિવસથી તેઓ પાકની કાપણી કરી રહ્યા હતા. રવિવારે તેમણે ત્રણ વીઘા ઘઉંની કાપણી કરીને ખેતરમાં ઢગલો કર્યો હતો. બપોરના સમયે થ્રેસરમાં ઘઉં કાઢવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતરમાંથી પસાર થતા વીજ વાયરો ઝોલા ખાતા હતા. વાયરમાંથી તણખા ઝર્યા અને ઘઉંના ઢગલામાં પડ્યા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ઢગલો બળીને ખાખ થઈ ગયો. ખેડૂતે તરત જ વીજ વિભાગને આ ઘટનાની જાણ કરી છે. આ ઘટનાથી ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે.
હિંમતનગર; વીજ વાયરમાંથી તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ

ટેગ્સ:#Himmatnagar#Financial Loss#Wheat Crop#Harvesting#Fire Outbreak#Power Line Sparks#Rajpur Village#Farmer's Plight#Electricity Department
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
6 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાની વડાલી પોલીસે દેશી બંદૂક સાથે બે આરોપીઓને ઝડપ્યા
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવાનગર ગામની મુલાકાત લીધી
1 અઠવાડિયા પહેલા
