રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા5 મે, 2025| Super Admin

ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા

ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા
ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આજે તેમના ઇન્તેજારનો અંત આવ્યો છે. અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સૂચના મુજબ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ સહિતના પરિણામો સવારે 10:30 વાગ્યે જાહેર થઇ ગયા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો સૌથી આગળ છે. ગયા વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી. સાથે જ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા; ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં 52.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 97.20 ટકા છે. સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં 87.77 ટકા છે. શાળાઓમાંથી માર્કશીટ, પ્રમાણપત્રો અને શાળા રજિસ્ટર અંગેની સૂચના પછીથી જારી કરવામાં આવશે. વધુમાં, પરિણામ પછીની પ્રક્રિયાઓ – જેમાં પરિણામ ચકાસણી, પેપર પુનઃતપાસ, નામ સુધારણા, ગુણ સુધારણા અને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો સમાવેશ થાય છે – માટે મુખ્ય સૂચનાઓ દર્શાવતો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર