રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા9 નવેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ

બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ
જિલ્લાના વિવિધ તાલુકાના સ્થળો પર ખરીદી કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ  માર્કેટયાર્ડમાં મગફળીના ઓછા ભાવ વચ્ચે ટેકાના ભાવે ખેડૂતો ને યોગ્ય ભાવ મળવાની આશા જાગી રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત બાદ ૯ નવેમ્બર એટલે કે રવિવારથી સમગ્ર જિલ્લામાં મગફળીની ખરીદી કેન્દ્ર શરૂ થયા છે.  ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવતાં ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ખરીદી પ્રક્રિયાના પ્રારંભે પ્રથમ તબક્કામાં 11 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી, જે ખેડૂતો મગફળી લઈને ખરીદી સેન્ટર પર પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના વિવિધ સેન્ટરો પર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ થતાં સંઘ માર્કેટ યાર્ડ અને વિવિધ સહકારી આગેવાનો  ઉપસ્થિત રહી ખેડૂતો દ્વારા એકબીજાને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને મગફળીની ટેકાભાવે ખરીદીનો શ્રીગણેશ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને ટેકાના ભાવે સારો ભાવ મળતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોને યોગ્ય ટેકો મળે તે માટે સરકાર અને સંઘ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનો વિશ્વાસ વધે અને કૃષિ ક્ષેત્ર મજબૂત બને તે માટે આ પહેલને ખેડૂતો દ્વારા સરાહના મળી રહી છે.    

સંબંધિત સમાચાર