રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા9 નવેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ

બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ
જિલ્લાના વિવિધ તાલુકાના સ્થળો પર ખરીદી કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ  માર્કેટયાર્ડમાં મગફળીના ઓછા ભાવ વચ્ચે ટેકાના ભાવે ખેડૂતો ને યોગ્ય ભાવ મળવાની આશા જાગી રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત બાદ ૯ નવેમ્બર એટલે કે રવિવારથી સમગ્ર જિલ્લામાં મગફળીની ખરીદી કેન્દ્ર શરૂ થયા છે.  ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવતાં ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ખરીદી પ્રક્રિયાના પ્રારંભે પ્રથમ તબક્કામાં 11 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી, જે ખેડૂતો મગફળી લઈને ખરીદી સેન્ટર પર પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાના વિવિધ સેન્ટરો પર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ થતાં સંઘ માર્કેટ યાર્ડ અને વિવિધ સહકારી આગેવાનો  ઉપસ્થિત રહી ખેડૂતો દ્વારા એકબીજાને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને મગફળીની ટેકાભાવે ખરીદીનો શ્રીગણેશ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને ટેકાના ભાવે સારો ભાવ મળતા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોને યોગ્ય ટેકો મળે તે માટે સરકાર અને સંઘ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનો વિશ્વાસ વધે અને કૃષિ ક્ષેત્ર મજબૂત બને તે માટે આ પહેલને ખેડૂતો દ્વારા સરાહના મળી રહી છે.    

સંબંધિત સમાચાર