રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા3 જૂન, 2026| Super Admin

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 'વિશ્વ સાયકલ દિવસ'ની ભવ્ય ઉજવણી

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 'વિશ્વ સાયકલ દિવસ'ની ભવ્ય ઉજવણી

દાંતીવાડા ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકી ની પ્રેરણા તેમજ નિયામક, વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે.પી.ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે સંશોધન નિયામક ડૉ. એચ. એસ. ભદોરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, ડીન ઓ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના અધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

યુનિવર્સિટી દ્વારા ગ્રીન કેમ્પસ પહેલ અંતર્ગત તમામ મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનુરોધને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ પેદાશોનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહે તે હેતુથી આ ઉજવણી યોજાઈ હતી.

કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી સાયકલ રેલીમાં 700 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોમાં પર્યાવરણ જાગૃતિ તેમજ ઇંધણ બચતનો સંદેશ ફેલાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નિયામક, વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર