દાંતીવાડા ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકી ની પ્રેરણા તેમજ નિયામક, વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે.પી.ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે સંશોધન નિયામક ડૉ. એચ. એસ. ભદોરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, ડીન ઓ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના અધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
યુનિવર્સિટી દ્વારા ગ્રીન કેમ્પસ પહેલ અંતર્ગત તમામ મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનુરોધને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ પેદાશોનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહે તે હેતુથી આ ઉજવણી યોજાઈ હતી.
કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી સાયકલ રેલીમાં 700 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોમાં પર્યાવરણ જાગૃતિ તેમજ ઇંધણ બચતનો સંદેશ ફેલાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નિયામક, વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.





