રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા15 ડિસેમ્બર, 2025| Super Admin

જુનાડીસામાં બેફામ રેત ખનન મુદ્દે ગ્રામસભા મળી

જુનાડીસામાં બેફામ રેત ખનન મુદ્દે ગ્રામસભા મળી
સરપંચના રેત માફિયાઓ અને અધિકારીઓની સાંઠગાંઠના ગંભીર આક્ષેપ ડીસા નજીકના જુનાડીસા ગામમાં બનાસ નદીના પટમાં ચાલી રહેલ ગેરકાયદેસર રેત ખનન મામલે ગામના સરપંચ અમરતભાઈ પુનડિયાએ હાઈસ્કૂલમાં ગ્રામસભાનું આયોજન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી બેફામ બનેલા રેત માફિયાઓ દ્વારા ગામની કુદરતી સંરક્ષણ સમાન કોતરો પણ તોડી પાડવા મુદ્દે ઉહાપોહ કરી રેત ખનન કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી હતી. સરપંચ અમરતભાઈ પુનડિયાએ પણ રેત માફિયાઓ સામે ગંભીર આક્ષેપો કરી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ સીધી કે આડકતરી મિલીભગત છે.જેના કારણે જ આ રેત માફિયાઓને છુટ્ટો દોર મળ્યો છે, અને રેતીની આડમાં કોતરોનો પણ કચ્ચરઘાણ વાળી દીધો છે.વધુમાં તેમણે રેત ખનનની પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રેત માફિયાઓનાં એક માથાભારે સાગીરતે "જો તારે આ ગામમાંથી 4- 5 જણને ઓછા કરાવવા હોય તો બીજીવાર આ ખનન બંધ કરાવવા આવજો." તેવી ગર્ભિત ધમકી આપી હોવાનો ખુલાસો કર્યો હતો.જેનાથી ગામલોકો પણ સમસમી ઉઠ્યા હતા અને આ મુદ્દો ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે જવાબદાર તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ ગામમાં રેત ખનન અટકાવે તે સમયનો તકાજો છે અન્યથા આ મુદ્દે જન આંદોલન છેડાય તેવી પૂરેપૂરી શકયતા છે.    

સંબંધિત સમાચાર