પાલનપુર-અમદાવાદ હાઈવે પર ઇસબી પુરા પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ સફાઈના કામ માટે જઈ રહેલા શ્રમિકોને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલીને એક જીપે પાછળથી ટક્કર મારતાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં એક 8 વર્ષનું બાળક અને એક આધેડનો સમાવેશ થાય છે. આ શ્રમિકો રોડ સફાઈનું કામ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેના મોત, 4 ઘાયલ

સંબંધિત સમાચાર
બનાસકાંઠામડાલ-લાલપુર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસામાં જીવના જોખમે મુસાફરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ડાવસમાં ગ્રીન ક્રાંતિ: 112 એકરમાં રાજ્યનું સૌપ્રથમ 'વન કવચ' તૈયાર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં વન મંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ: 241 લોકોએ ડોનેશન કર્યું બ્લડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પર ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
