પાલનપુર-અમદાવાદ હાઈવે પર ઇસબી પુરા પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ સફાઈના કામ માટે જઈ રહેલા શ્રમિકોને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલીને એક જીપે પાછળથી ટક્કર મારતાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં એક 8 વર્ષનું બાળક અને એક આધેડનો સમાવેશ થાય છે. આ શ્રમિકો રોડ સફાઈનું કામ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેના મોત, 4 ઘાયલ

સંબંધિત સમાચાર
બનાસકાંઠામુખ્યમંત્રીનો સરહદ હૂંકાર : ઢીમામાં વિકાસ સંકલ્પ સભા અને થરાદમાં નારી શક્તિનું અભિવાદન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચૂંટણી ટાણે જ હાલાકી : પાલનપુરમાં રખડતા શ્વાનોનો આતંક, તંત્રની ઘોર ઉદાસીનતા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ગટરના પાણીથી ત્રાહિમામ, વોર્ડ-૯ ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો મિજાજ
1 દિવસ પહેલા
બનાસકાંઠારક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો
2 દિવસ પહેલા
