રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા23 નવેમ્બર, 2025| Super Admin

ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં SIR કામગીરીનું વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા નિરીક્ષણ

ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં SIR કામગીરીનું વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા નિરીક્ષણ
બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની શુદ્ધતા અને અપડેટેશન માટે ચાલી રહેલી  (SIR)ની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આજે ડીસા તાલુકાના રામપુરા ગામે પહોંચ્યા હતા.​મંત્રીશ્રીએ ડીસાના અલગ-અલગ ગામોના કુલ 33 બુથોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે બુથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી ચકાસી હતી અને એપ વેરિફિકેશનથી લઈને મતદારોની માહિતી સુધીની વિગતોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું. આ બાબતે ​મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો ઉદ્દેશ મતદાર યાદીને 100 ટકા શુદ્ધ બનાવવાનો છે. તેમણે રામપુરા સહિત કુલ 33 બુથોનું નિરીક્ષણ કર્યું હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, "અમને પૂરો વિશ્વાસ છે કે SIRની કામગીરી નિર્ધારિત સમય પહેલા જ પૂર્ણ થઈ જશે. આ ​નિરીક્ષણ દરમિયાન, બુથ લેવલ ઓફિસર્સ (BLO)એ મંત્રી સમક્ષ કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓ અને ટેકનિકલ સમસ્યાઓ રજૂ કરી હતી. મંત્રી પ્રવીણ માળીએ તેમની ફરિયાદો, ટેકનિકલ સમસ્યાઓ અને મતદારોની તકલીફોને પ્રાથમિકતા આપીને તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તેમણે BLOsને આશ્વાસન આપ્યું હતું કે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા કરવામાં આવશે.​આ નિરીક્ષણ દ્વારા મંત્રીશ્રીએ ચૂંટણી પંચના જળ સંચય અને મતદાર યાદી શુદ્ધિકરણના મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વ્યક્તિગત રસ લઈને બનાસકાંઠા જિલ્લાની કામગીરીને પ્રોત્સાહિત કરી છે.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર