રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા14 જુલાઈ, 2026| Super Admin

ફિટ ઇન્ડિયા, હિટ નવજીવન: બી.એડ્. કોલેજમાં ફિટનેસ સેમિનાર યોજાયો

ફિટ ઇન્ડિયા, હિટ નવજીવન: બી.એડ્. કોલેજમાં ફિટનેસ સેમિનાર યોજાયો

ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ્. કોલેજ ખાતે ડોકરા રનીંગ કલબના સહયોગથી સે યસ ટુ રન વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જો દરરોજ સવારે રનીંગને અપનાવવામાં આવે તો જીવનમાં અનેક પરિવર્તનો આવે છે તે અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા. સૌપ્રથમ તમામ મહેમાનોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલ ડોકરા રનીંગ કલબના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, રનીંગ એ માત્ર કોઈ રમત નથી પરંતુ સ્વસ્થ, શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવવાનો માર્ગ છે. આધુનિક જમાનામાં મોડીરાત સુધી જાગવું અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં ન જાગવું તેની ટેવ સાહજિક થતી જાય છે. ખાસ કરીને મેટ્રોપોલિટન સિટીમાં મોડી રાત સુધી યુવાનો જાગે છે અને સવારે વહેલા ઊઠતા નથી પરિણામે સ્વાસ્થ્ય જોખમાય છે.

48.jpg 174.04 KB
જો સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દોડ લગાવવામાં આવે તો અભૂતપૂર્વ પરિણામો શરીરને મળે છે આખો દિવસ તાજગી થી પસાર થાય છે તેમજ કાર્ય કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. અત્યારે મેદસ્વિતા પણ ચારે બાજુ વધી ગયું છે ત્યારે રનીંગ દ્વારા તમે વજનને પણ ઘણું કંટ્રોલ કરી શકો છો. જો સામાન્ય ડાયટ અપનાવવામાં આવે તો વજન પણ રનીંગ દ્વારા ઘટી જાય છે અમારું ડોકરા રનીંગ કલબ આજે 25 થી વધુ સેન્ટરોમાં કાર્યરત છે. અને 5,000 થી વધુ લોકો સવારે ગ્રાઉન્ડ ઉપર જે દોડ લગાવી રહ્યા છે. કેટલાક રોગિષ્ટ લોકોને પણ રોગમાંથી મુક્તિ મળી છે. આથી રનીંગને જો જીવનનો ભાગ બનાવવામાં આવે તો દુનિયામાં પણ સુમેળ ભર્યું વાતાવરણ મળશે અને જે લોકો રનીંગ કરશે તેના સ્વભાવમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે. તાલીમાર્થીઓએ રનિંગ કેમ કરવું જોઈએ, થાક વધુ લાગી જાય છે, મૂડ આખો દિવસ રહેતો નથી તેવા પ્રશ્નોનું નિરાકરણ ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટ પાસેથી મેળવ્યું હતું.
49.jpg 157.99 KB
ડોકરા રનીંગ કલબના મેમ્બર રાકેશભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ ઠાકોર અને સતવીર ચૌધરીએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને  ફિટનેસ વિશે માહિતીકાર કર્યા હતા. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.સોનલબેન પ્રજાપતિ, અધ્યાપક ડૉ. અમિતકુમાર સોલંકી, ડૉ.નિરવભાઈ પરમાર, જયેશભાઈ ઠક્કર, કૃતિકાબેન પંડ્યા, તૃપ્તિબેન જોશી, સીમાબેન દેસાઈ અને સિનિયર ક્લાર્ક અનિલભાઈ પટેલ અને અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓને છેલ્લે રનીંગના સ્ટેપ વિશે તેમજ હળવી કસરતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર