ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ્. કોલેજ ખાતે ડોકરા રનીંગ કલબના સહયોગથી સે યસ ટુ રન વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જો દરરોજ સવારે રનીંગને અપનાવવામાં આવે તો જીવનમાં અનેક પરિવર્તનો આવે છે તે અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા. સૌપ્રથમ તમામ મહેમાનોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલ ડોકરા રનીંગ કલબના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, રનીંગ એ માત્ર કોઈ રમત નથી પરંતુ સ્વસ્થ, શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવવાનો માર્ગ છે. આધુનિક જમાનામાં મોડીરાત સુધી જાગવું અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં ન જાગવું તેની ટેવ સાહજિક થતી જાય છે. ખાસ કરીને મેટ્રોપોલિટન સિટીમાં મોડી રાત સુધી યુવાનો જાગે છે અને સવારે વહેલા ઊઠતા નથી પરિણામે સ્વાસ્થ્ય જોખમાય છે.

ફિટ ઇન્ડિયા, હિટ નવજીવન: બી.એડ્. કોલેજમાં ફિટનેસ સેમિનાર યોજાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજાઈ
1 કલાક પહેલા
બનાસકાંઠાબનાસ ડેરીની અનોખી પહેલ: સતત 6ઠ્ઠા વર્ષે 'સીડબોલ ફોર ગ્રીન વોલ' અભિયાન શરૂ
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસા પંથકમાં પર્યાવરણનું નિકંદન: તંત્રની બેદરકારી વચ્ચે ‘દેશી વિરપ્પનો’ સક્રિય
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો : એસઓજી પોલીસની કાર્યવાહી
1 દિવસ પહેલા
