હિંમતનગર શહેરના મહેતાપુરાના ખાડા વિસ્તારમાં સ્વચ્છ હિંમતનગર માટે સોનાની થાળીમાં લોઢાનો મેખ જેવી સ્થિતિ છે. જ્યાંને ત્યા ગટર લાઈનો ખોદી નાખ્યા બાદ ગંદકીનો પારાવાર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આટલું ઓછુ હોય તેમ હોળી પહેલા 12 લાખ લિટર ક્ષમતાવાળા સમ્પના ડોમ અને રીંગનું રિકન્સ્ટ્રાકશન કામ શરૂ કર્યા પછી મજૂરો પાછા ન આવતાં સમ્પમાં ગંદા પાણીનો જમાવડો થયો છે અને ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાડા વિસ્તાર હોવાથી પ્રશાસન દ્વારા તકેદારી કે દરકાર લેવામાં આવતી ન હોવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે.
હિંમતનગરના મહેતાપુરામાં ગંદા પાણીથી રોગચાળાનો ભય

સંબંધિત સમાચાર
સાબરકાંઠાચૂંટણી પર્વની તૈયારી : સાબરકાંઠા જિલ્લામાં ગામડે-ગામડે EVM નિદર્શન, મતદાર જાગૃતિ અભિયાન તેજ
1 દિવસ પહેલા
સાબરકાંઠાચૂંટણીનું રણશિંગું: સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચૂંટણી આયોજન અંગે મહત્વની બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર : રિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ₹1.22 લાખનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર પોલીસનો સપાટો : વિદેશી દારૂ સાથે બે યુવકોને દબોચ્યા, ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
