રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેતરો ફરી જળ બમ્બાકાર; રસ્તાઓ પાણીમાં ડૂબીને ધોવાઈ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેતરો ફરી જળ બમ્બાકાર; રસ્તાઓ પાણીમાં ડૂબીને ધોવાઈ

સરહદી વિસ્તારોમાં આ વખતે સરેરાશ કરતા વધુ વરસાદ; હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખણી,વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં અવિરત વરસાદે વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિસ્તારોમાં ખેતરો ફરી એક વાર સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયા છે. ખેડૂતો માટે પોતાના ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. કારણ કે, મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબીને ધોવાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિએ સ્થાનિક રહેવાસીઓની પણ મુશ્કેલીઓ વધારી દીધી છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં આ વખતે સરેરાશ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં અત્યાર સુધી લાખણીમાં 634 મી.મી., વાવમાં 743 મી.મી., થરાદમાં 747 મી.મી. અને સુઇગામમાં 740 મી.મી.વરસાદ નોંધાયો છે. સતત ભારે વરસાદને લઈ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે પરંતુ સતત વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે.તેથી ખેડૂતો સાથે આમ પ્રજાની હાલાકીઓ વધી પડી છે. જેના કારણે ચોમેર મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ થવા લાગી છે.જો કે ખેડૂતોને ભૂગર્ભ જળ ઊંચકાવાની હૈયે થોડી ધરપત છે.

સંબંધિત સમાચાર