- હોમ
- /Uncategorized
- /ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ના-છૂટકે નીચા ભાવે મગફળી વેચવા ખેડૂતો બન્યા મજબૂર
ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ના-છૂટકે નીચા ભાવે મગફળી વેચવા ખેડૂતો બન્યા મજબૂર

પાલનપુરમાં મગફળી ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ખેડૂતો ત્રસ્ત
બે દિવસમાં માત્ર 05 ખેડૂતોની 437 બોરીઓની ખરીદી કરાઈ
રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડ માં ગઈકાલે ટેકાના ભાવે મગફળી ખરીદી કર્યા બાદ આજે સિસ્ટમ ખોરવાતા મગફળીની ખરીદી બંધ રહી હતી. જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મગફળી નીચા ભાવે વેચવાનો વારો આવ્યો હતો.
રાજ્ય સરકારે મોટા ઉપાડે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ગતરોજ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જોકે, મગફળી ખરીદીના પ્રતિકાત્મક પ્રારંભ બાદ આજે બીજા જ દિવસે સિસ્ટમ ખોરવાતા ખરીદી બંધ રહી હતી. જોકે, સિસ્ટમ શરૂ થતાં જ ખેડૂતોને મેસેજ કરી જાણ કરાશે. જેથી આવતી કાલથી ખરીદી શરૂ થઈ જશે તેવું પાલનપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર દલસંગભાઈ પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર રૂ.1356.60 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી છે. પરંતુ પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીના પ્રારંભ બાદ બીજા જ દિવસે સિસ્ટમ બંધ થતાં ખેડૂતો મુશ્કેલી માં મુકાયા હતા. ખેડૂતોને ના-છૂટકે ખુલ્લી હરાજીમાં નીચા ભાવે મગફળી વેચી નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું ધુમ્મડ ગામના ખેડૂત રમેશભાઈ પરમારે જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
Uncategorizedજસ્ટિસ મનમોહને રાજ નિવાસ ખાતે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા
1 વર્ષ પહેલા
Uncategorizedમધ્યપ્રદેશના ખંડવામાં મશાલ સરઘસમાં ભીષણ આગ 30થી વધુ લોકો દાઝી ગયા
1 વર્ષ પહેલા
Uncategorizedમહારાષ્ટ્રના ગોંદિયામાં અકસ્માત બસ પલટી જતાં 9 મુસાફરોના મોત 25 ઘાયલ
1 વર્ષ પહેલા
Uncategorizedબનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડી નો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડવાની શક્યતાઓ
1 વર્ષ પહેલા
