- હોમ
- /Uncategorized
- /ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ના-છૂટકે નીચા ભાવે મગફળી વેચવા ખેડૂતો બન્યા મજબૂર
ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ના-છૂટકે નીચા ભાવે મગફળી વેચવા ખેડૂતો બન્યા મજબૂર

પાલનપુરમાં મગફળી ટેકાના ભાવે ખરીદી બંધ રહેતા ખેડૂતો ત્રસ્ત
બે દિવસમાં માત્ર 05 ખેડૂતોની 437 બોરીઓની ખરીદી કરાઈ
રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડ માં ગઈકાલે ટેકાના ભાવે મગફળી ખરીદી કર્યા બાદ આજે સિસ્ટમ ખોરવાતા મગફળીની ખરીદી બંધ રહી હતી. જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મગફળી નીચા ભાવે વેચવાનો વારો આવ્યો હતો.
રાજ્ય સરકારે મોટા ઉપાડે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પાલનપુર માર્કેટયાર્ડમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ગતરોજ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જોકે, મગફળી ખરીદીના પ્રતિકાત્મક પ્રારંભ બાદ આજે બીજા જ દિવસે સિસ્ટમ ખોરવાતા ખરીદી બંધ રહી હતી. જોકે, સિસ્ટમ શરૂ થતાં જ ખેડૂતોને મેસેજ કરી જાણ કરાશે. જેથી આવતી કાલથી ખરીદી શરૂ થઈ જશે તેવું પાલનપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર દલસંગભાઈ પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર રૂ.1356.60 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી છે. પરંતુ પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીના પ્રારંભ બાદ બીજા જ દિવસે સિસ્ટમ બંધ થતાં ખેડૂતો મુશ્કેલી માં મુકાયા હતા. ખેડૂતોને ના-છૂટકે ખુલ્લી હરાજીમાં નીચા ભાવે મગફળી વેચી નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું ધુમ્મડ ગામના ખેડૂત રમેશભાઈ પરમારે જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
Uncategorized
ખાનગી બસમાં રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતી 14 મહિલાઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
1 વર્ષ પહેલા
Uncategorized
2-3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1-3 ડિગ્રીનો ઘટાડો થશે; એક નવું પશ્ચિમી વિક્ષેપ ફરી સક્રિય થવાની શક્યતા: હવામાન વિભાગ
1 વર્ષ પહેલા
Uncategorized
ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર રાષ્ટ્રપતિને મળ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ
1 વર્ષ પહેલા
