રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
વાવ-થરાદ8 મે, 2026| Super Admin

થરાદના જમડા ગામના ખેડૂતો 'વીજળી' માટે વલખાં મારે છે, ભરઉનાળે ખેતીનો પાક મુરઝાયો

થરાદના જમડા ગામના ખેડૂતો 'વીજળી' માટે વલખાં મારે છે, ભરઉનાળે ખેતીનો પાક મુરઝાયો

થરાદના જમડા ગામના ખેડૂતો અત્યારે વીજળીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામના અંદાજે 100 જેટલા ખેતીવાડી વીજ કનેક્શનોમાં છેલ્લા ઘણા સમયથી પૂરતો પાવર કે યોગ્ય વોલ્ટેજ ન મળતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક નજર સામે મુરઝાઈ રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.      

 ખેડૂતોના જણાવ્યા અનુસાર, અગાઉ જ્યારે તેમના ખેતીવાડી કનેક્શન ‘ભાચર ફીડર’ સાથે જોડાયેલા હતા, ત્યારે તેમને પૂરતો અને ગુણવત્તાયુક્ત પાવર મળતો હતો. પરંતુ વહીવટી કારણોસર તેમને ‘ઈઢાટા ફીડર’ માં ફેરવવામાં આવ્યા છે. આ ફીડર પર લોડનું પ્રમાણ ઘણું વધારે હોવાને કારણે ખેડૂતોને પૂરતા વોલ્ટેજ મળતા નથી, જેના કારણે મોટર-પંપ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.આ બાબતે અંદાજે 100 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ એકઠા થઈને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે, તેમને ઈઢાટા ફીડરમાંથી મુક્ત કરી ફરીથી ભાચર ફીડરમાં જોડવામાં આવે. 

જો વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતો પાવર શરૂ કરવામાં નહીં આવે, તો ઉનાળાની આ સીઝનમાં ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.ત્યારે વિજ વિભાગ આ બાબતે સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.

સંબંધિત સમાચાર