હિંમતનગરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ : રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા

50 હજારથી વધુનો જથ્થો સીઝ; સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ફૂડ વિભાગે ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ફૂડ સેફ્ટી વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવા અને તેમની ટીમે રાયગઢના પટેલ ફળીમાં રહેતા ખુબીરામ શિવચરણલાલ શર્માના રહેણાંક મકાન પર ઓચિંતી રેડ કરી હતી.
તપાસ દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ ઘીની સાથે ભેળસેળ માટે વપરાતા પદાર્થો જેવા કે સોયાબીન તેલ, વનસ્પતિ તેલ અને વ્હાઈટ પાવડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ સ્થળ પરથી 39 કિલો સોયાબીન તેલ, 88 કિલો વનસ્પતિ ઘી, 23 કિલો વ્હાઈટ પાવડર અને 58 કિલો તૈયાર કરેલું લૂઝ નકલી ઘી મળી કુલ રૂ. 50,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો આ નમૂના સબ-સ્ટાન્ડર્ડ કે અનસેફ જાહેર થશે, તો ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર પોલીસનો સપાટો : વિદેશી દારૂ સાથે બે યુવકોને દબોચ્યા, ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત
3 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
6 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
1 અઠવાડિયા પહેલા
