ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઘરની નજીક ખેતરમાં બાંધેલ ગાય ચારો ચરતી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહ તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે રહેતા મધુબેન અણુજી ઠાકોર ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. જેઓ શંકરપુરાના વીજળીયા ટીંબાવાળા આંટામાં ઘરની નજીક ખેતરમાં કાળા કલરની ગાય બાંધી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહનો તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે જાણવા જોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ગાય પર ઇલેક્ટ્રિક વાયર ચાલુ પ્રવાહ તૂટીને પડતા મોત

ટેગ્સ:#police investigation#public safety#Unjha Taluka#Animal Husbandry#Agricultural Community#Cow Welfare#Shankarpura Upera#Electric Wire Incident
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
